લોકડાઉનમાં 65 વર્ષનો ગરીબ ખેતમજૂર 130 કિમી સાઈકલ ચલાવી કેન્સરગ્રસ્ત પત્નીને હોસ્પિટલ લઈ ગયો.

લોકડાઉનને કારણે એક તરફ ઘરોમાં ઝઘડા વધી રહ્યા છે, ત્યારે તમિલનાડુમાં એક ખેતમજૂરે કેન્સરગ્રસ્ત પત્નીને 130 કિમી સાઈકલ ચલાવી હોસ્પિટલ પહોંચાડી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. લોકડાઉનને કારણે વાહનની કોઈ સગવડ ના હોવાથી આ વ્યક્તિ પોતાની પત્નીને સાઈકલ પર બેસાડી 130 કિમી દૂર આવેલી કુમબકોનામથી પુડુચેરી આવેલી કેન્સર હોસપિટલ પહોંચ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

65 વર્ષના અરીવાઝગન પોતાની પત્નીને સાઈકલ પર લઈ આટલે દૂર આવ્યા છે તેવા જાણી હોસ્પિટલનો સ્ટાફ પણ અચંબામાં પડી ગયો હતો, હોસ્પિટલમાં જ તેનું સમ્માન કરાયું હતું. અરીવાઝગનને જ્યારે ખબર પડી કે આખા દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે, અને બસ ટ્રેન બધું બંધ થઈ ગયું છે ત્યારે પત્નીને 130 કિમી દૂર આવેલી કેન્સર હોસ્પિટલ લઈ કેવી રીતે જવું તે તેના માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. તેમની પત્ની મંજુલાને કીમોથેરાપીનો ત્રીજો ડોઝ આપવાનો હતો.

ખાનગી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવાના આ ગરીબ દંપતી જોડે પૈસા નહોતા, અને પુડુચેરી પહોંચવા માટે ટેક્સી કરવાનું પણ તેમને પરવડે તેમ નહોતું. આખરે કોઈ વ્યવસ્થા ના થતાં અરીવાઝગને સાઈકલ પર જ પોતાની પત્નીને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું હતું. 30 માર્ચે રાત્રે આ કપલ સાઈકલ પર રવાના થયું હતું, અને લોકડાઉન હોવા છતાં જે તારીખે કીમોનો ડોઝ આપવાનો હતો તે સમયે હોસ્પિટલમાં હાજર થઈ ગયું હતું. રસ્તામાં તેમને પોલીસ ઉભી રાખતી ત્યારે તે ટ્રીટમેન્ટની ફાઈલ બતાવી આગળ વધતા હતા.

તેમણે પોતાના 130 કિમી લાંબા પ્રવાસમાં માત્ર એક જ બ્રેક લીધો હતો. પોલીસને જ્યારે તેમના વિશે ખબર પડી ત્યારે તેમને જમવાનું આપી સુરક્ષિત રીતે પહોંચવાની શુભેચ્છા આપી રવાના કર્યા હતા. 31 માર્ચે અરીવાઝગને નાસ્તો કરવા પોતાની સાઈકલ ઉભી રાખી હતી. જોકે, હોસ્પિટલ પહોંચીને તેમને ખબર પડી હતી કે હાલ કીમોથેરાપી સહિતની તમામ આઉટપેશન્ટ સર્વિસને બંધ કરી દેવાઈ છે.

જોકે, જ્યારે અરીવાઝગને ડોક્ટરોને જણાવ્યું કે તેઓ પોતાની પત્નીને 130 કિમી દૂરથી સાઈકલ પર લઈને આવ્યા છે ત્યારે ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા, અને મંજુલાને એડમિટ કરીને તેમનું કીમોથેરાપી સેશન શરુ કરવામાં આવ્યું હતું. મંજુલાને મોઢાનું કેન્સર થયું છે, જોકે તે ફેલાયું ના હોવાથી તેમની સ્થિતિ ગંભીર નથી. કીમોથેરાપી પૂરી થયા બાદ આ કપલ એક રાત હોસ્પિટલમાં જ રોકાયું હતું, અને બીજા દિવસે તેમને ઘરે પહોંચાડવા માટે હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અરીવાઝગનને ઘરે મૂકવા આવેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઘણા લોકો આવી સ્થિતિમાં હિંમત હારી જતાં હોય છે, પરંતુ આ વ્યક્તિ નોખી માટીનો છે. શરીરે સાવ દૂબળાપાતળા અરીવાઝગને કઈ રીતે પોતાની પત્નીને લઈ 130 કિમી સાઈકલ ચલાવી તે અંગે પણ તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો