ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 367 નવા કેસ, 22 મોત અને 454 ડિસ્ચાર્જ, કુલ કેસ 15572 અને મૃત્યુઆંક 960 થયો

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસ 11 હજારને પાર પહોંચી ચૂક્યા છે. જોકે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસ, રિકવર થયેલા દર્દીઓની સંખ્યા અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા અંગે માહિતી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 367 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15572 થઇ છે. જ્યારે 454 દર્દીઓ સાજા થયા જેને લઇને 8001 કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા થઇ છે. જ્યારે 22 દર્દીના મોત પણ થયા છે. જેને લઈને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 960 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ક્યા કેટલા નવા કેસ નોંધાયા

આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 247, સુરતમાં 44, વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છ અને રાજકોટમાં 7-7, ગાંધીનગરમાં 4, આણંદ અને પંચમહાલમાં 2-2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોઁધાયા છે. રાજ્યમાં નવા 22 મોતમાંથી અમદાવાદમાં 16, વડોદરામાં 3, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો