ગુજરાતમાં 24 કલાકમા નવા 361 કેસ અને 29 મોત, 503 દર્દી સાજા થયા, કુલ કેસ 14829 અને મૃત્યુઆંક 905 થયો

ગુજરાતમાં કોરોના મહામારી દિવસેને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના 80 ટકા કેસ અહીં નોંધાયા છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 361 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14829 થઇ છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો હતો.

અમદાવાદમાં કોરોનાના નવા 251 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 251 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 36 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 503 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 7137 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત

અમદાવાદ 251
સુરત 36
વડોદરા 31
સાબરકાંઠા 8
ગાંધનગર 7
જામનગર 5
બનાસકાંઠા 3
મહિસાગર 3
વલસાાડ 3
ભાાવનગર 2
અરવલ્લી 2
કચ્છ 2
નવસારી 2
જૂનાગઢ 1
મહેસાણા 1
પંચમહાલ 1
અમરેલી 1
પાટણ 1
રાજકોટ 1
કુલ 361

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ અહીં આપવામાં આવી હતી. જેમાં ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 915 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો