ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ, બે મહિના બાદ 20થી ઓછા મોત, કુલ કેસ 30 હજારને પાર

સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં પણ સતત કેટલાક દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 580 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 30,158‬ પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે 14માં દિવસે કોરોનાના વાયરસના 500થી વધુ કેસ નોંધાયા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 219 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 219 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 182‬ નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 532 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 22,038 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

અમદાવાદમાં માત્ર 3401 જ એક્ટિવ કેસ

ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાએ ભરડો લીધો છે, દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે તો અત્યાર સુધીમાં 1398 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 15,259 લોકો કોરોનામુક્ત થયાં છે. તો ખુશીની વાત એ છે કે, અમદાવાદમાં હવે માત્ર 3401 જ એક્ટિવ કેસ બચ્યા છે.

24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

26/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 219
સુરત 182
વડોદરા 45
ભરૂચ 16
ગાંધીનગર 14
રાજકોટ 13
જામનગર 9
ભાવનગર 8
આણંદ 8
પાટણ 8
મહેસાણા 7
નર્મદા 6
સુરેન્દ્રનગર 6
ખેડા 5
અમરેલી 5
અન્ય રાજ્ય 5
પંચમહાલ 4
નવસારી 4
કચ્છ 3
બોટાદ 2
દાહોદ 2
છોટા ઉદેપુર 2
જૂનાગઢ 2
મોરબી 2
અરવલ્લી 1
મહીસાગર 1
સાબરકાંઠા 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 18 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1772 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે તો 6278 લોકો સ્ટેબલ છે અને 6348 કેસ એક્ટિવ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો