ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 362 કેસ, 24 દર્દીના મોત અને 466 ડિસ્ચાર્જ, કુલ 8904 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયે છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 362 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 267 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના 8904 પોઝિટિવ લોકોની સંખ્યા પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 537 દર્દીઓના મૃત્યુ થયા છે. તો તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 36.5% પર પહોંચ્યો છે. જયંતિ રવિએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના વધતાં કેસોની પરિસ્થિતિ આરોગ્ય તંત્રના અંકુશમાં છે, અમદાવાદની સ્થિતિ પણ કંટ્રોલમાં છે.

આજે રાજ્યમાં 466 દર્દીઓ થયાં સાજા

આ સાથે આજ રોજ 466 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 3246 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

આજના નવા કેસ

  • અમદાવાદ 267
  • વડોદરા 27
  • સુરત 30
  • ગાંધીનગર 3
  • પાટણ 2
  • છોટા ઉદેપુર 3
  • કચ્છ 6
  • મહેસાણા 7
  • ગીર-સોમનાથ 5
  • ખેડા 3
  • જામનગર 1
  • સાબરકાઠા 1
  • અરવલ્લી 1
  • મહિસાગર 2
  • દેવભુમિ દ્વારકા 1
  • ભાવનગર 2
  • ભરૂચ 1
  • કુલ 362

30 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5091 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 119537 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8904 પોઝિટિવ આવ્યા છે તો 110633 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ઠંડા પીણા, આઇસ્ક્રીમ સહિતની ખાદ્ય ચીજવસ્તુથી કોરોના નથી ફેલાતોઃ ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છેકે, FSSI દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છેકે, ખાદ્ય ચીજવસ્તુઓ દ્વારા કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાતું નથી. તેમજ ઠંડા પીણા, આઇસક્રીમ, ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય ચીજવસ્તુઓના સેવનથી કોરોના ફેલાતો નથી. આથી આ પ્રકારની વસ્તુઓનું યોગ્ય રીતે ઉત્પાદન, સંગ્રહ વહન તથા વેચાણ કરવામાં આવતું હોય તો તેને કારણ વગર અટકાવવામાં ન આવે.

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 6353 1874 421
Baroda 574 311 32
Surat 944 556 40
Rajkot 66 46 2
Bhavnagar 97 42 7
Anand 80 70 7
Bharuch 32 25 2
Gandhinagar 142 45 5
Patan 29 21 1
Panchmahal 65 33 4
Banaskantha 81 36 3
Narmada 13 12 0
Chhota Udepur 17 13 0
Kutch 14 6 1
Mehsana 59 37 2
Botad 56 22 1
Porbandar 3 3 0
Dahod 20 5 0
Gir Somnath 17 3 0
Kheda 32 8 1
Jamnagar 30 2 2
Morbi 2 1 0
Sabarkantha 27 7 2
Arvalli 75 22 2
Mahisagar 46 28 1
Tapi 2 2 0
Valsad 6 4 1
Navsari 8 7 0
Dang 2 2 0
Surendranagar 3 1 0
Devbhoomi Dwarka 5 0 0
Junagadh 3 2 0
Other State (Rajasthan) 1 0 0
TOTAL 8904 3246 537

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો