સતત ત્રીજા દિવસે ગુજરાતમાં કોરોનાના 800થી વધુ કેસ, આજે નવા 872 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 41,027 પર‬ પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 872 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 41,027 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2034 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 502 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 28,685 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2034‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ 875 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, 9 જુલાઇના રોજ પ્રથમ વખતા 861 કેસ નોંધાયા હતા તો ગઇકાલે શુક્રવારે એટલે કે 10 તારીખે 875 કેસ અને આજે સતત ત્રીજા દિવસે 872 કેસ નોંધાયા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 270 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 180 અને સુરત જિલ્લામાં 90 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 7,577 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 136 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 4,705 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 3 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 212 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 2624 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 178 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 166 અને અમદાવાદ જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,923પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 126 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,685 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1517 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3721 એક્ટિવ કેસ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ છેલ્લા 1 અઠવાડિયાથી ડાયમંડ નગરી સુરતની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઉછોળો નોંધાઇ રહ્યો છે ત્યારે હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 3721 છે તો સુરતમાં 2621 છે. તો સમગ્ર રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 10 હજારને પાર થઇ પહોંચી છે.

કોરોના વાયરસના કેસની વિગત

11/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 178
સુરત 270
વડોદરા 72
ગાંધીનગર 28
ભાવનગર 49
બનાસકાંઠા 12
આણંદ 8
રાજકોટ 41
અરવલ્લી 4
મહેસાણા 19
પંચમહાલ 5
બોટાદ 2
મહીસાગર 6
ખેડા 20
પાટણ 5
જામનગર 11
ભરૂચ 23
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 8
દાહોદ 3
છોટા ઉદેપુર 1
કચ્છ 10
નર્મદા 7
દેવભૂમિ દ્વારકા 1
વલસાડ 17
નવસારી 17
જૂનાગઢ 24
પોરબંદર 1
સુરેન્દ્રનગર 10
મોરબી 7
તાપી 0
ડાંગ 0
અમરેલી 4
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો