ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા, મોતનો આંકડો પણ વધ્યો, આ શહેરોમાં નવા કેસોનો ઉછાળો

ગુજરાતમાં કોરોના વધારે ઘાતક અને જીવલેણ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસો વધતાંની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા છે. જ્યારે 54 દર્દીઓનાં મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આજે 2976 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા છે. અને આજે 2.20 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલ કોરોના કેસોનો કુલ આંક 3,43, 474 પર પહોંચ્યો છે. અને રાજ્યમાં 3,15,127 લોકો સાજા થયા છે. જ્યારે 4800 લોકોનાં મોત નિપજ્યા છે. વકરતાં જતાં કોરોનાને કારણે રાજ્યના રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ રાજ્યનો રિકવરી રેટ 90.69 ટકા પર આવી ગયો છે. જે ચિંતાજનક બાબત છે. 

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27,568 છે. જેમાંથી 203 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 23,365 લોકોની હાલત સ્થિર છે. આજે મોતને ભેટનાર 54 દર્દીઓમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 19 મોત, સુરત કોર્પોરેશનમાં 16 મોત, વડોદરા કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશન 5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર 1, જામનગરમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું. 

ગુજરાતમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ ખુબ જ ભયંકર સ્તરે છે. જ્યારે વડોદરા અને રાજકોટ જેવાં શહેરોમાં પણ કોરોના વકર્યો છે. એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતાં ચિંતાના વાદળ છવાયા છે. જિલ્લાવાર કોરોના આંકડા જોઈએ તો, અમદાવાદમાં 1532 કેસ, 20 મોત, સુરતમાં 1448 કેસ, 18નાં મોત, રાજકોટમાં 475 અને વડોદરામાં 416 કેસ, જામનગરમાં 312 અને ભાવનગરમાં 97 કેસ, ગાંધીનગરમાં 101 અને 83 જૂનાગઢ કેસ, મહેસાણામાં 127, પાટણમાં 124, મોરબીમાં 54 કેસ, કચ્છમાં 53, નર્મદામાં 50, બનાસકાંઠામાં 49 કેસ, નવસારીમાં 47, દાહોદમાં 46, અમરેલીમાં 42 કેસ, ભરૂચમાં 41, પંચમહાલમાં 40, ખેડામાં 39 કેસ, સાબરકાંઠામાં 37, આણંદમાં 31, વલસાડમાં 31 કેસ, અરવલ્લી – સુરેન્દ્રનગરમાં 28 – 28, બોટાદમાં 27 કેસ, મહિસાગરમાં 26, દ્વારકામાં 21, ગીર સોમનાથમાં 20 કેસ, છોટાઉદેપુર અને તાપીમાં 17 – 17 કેસ, ડાંગ અને પોરબંદરમાં 5 – 5 કેસ નોંધાયા હતા.

આજે રાજ્યમાં 2,20,994 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અને અત્યાર સુધીમાં કુલ 80,55,986 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 10,67,733 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અને કુલ 91,23,719 ડોઝ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો