મારા શબ્દો લખીને રાખજો: જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે

ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે અને બધું જ હવામાં ઊડી જશે, દફનાવી દેવામાં આવશે. નીતિન પટેલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના નેતાઓ, પદાધિકારીઓની હાજરીમાં આ નિવેદનો આપ્યાં હતાં. પટેલે તેમના ભાષણમાં લવ જેહાદ કાયદાને હાઇકોર્ટમાં પડકારનારાઓની ટીકા કરી હતી. સાથે જ તેમણે જવાહરલાલ નહેરુની ઝાટકણી કાઢી હતી અને રામ મંદિર તથા કલમ 370ની નાબૂદી જેવા મુદ્દે નરેન્દ્ર મોદી-અમિત શાહના વખાણ કર્યા હતા.

ગાંધીનગરમાં ભારત માતા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું વક્તવ્ય:
‘હાલમા કેટલાક કહેવાતા લોકો બંધારણની વાતો કરે છે. બિનસાંપ્રદાયિકતાની વાતો કરે છે, પણ હું તમને કહી દઉં છું, આ વીડિયો ઉતારવો હોય તો ઉતારી લેજો, આપણે હોઇએ કે ના હોઇએ, પણ મારા શબ્દો લખી લેજો, જ્યા સુધી આ દેશમા હિન્દુઓની બહુમતી છે, ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિનસાંપ્રદાયિકતાની વાતો કરનારા કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ન કરે ભગવાન અને હજાર બે હજાર વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજા લોકો વધ્યાંએ દિવસે કોઇ કોર્ટ કચેરી નહીં, કોઇ લોકસભા નહીં, કોઇ બંધારણ નહીં, કોઇ બિનસાંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાવી દેશે. કશું જ રહેશે નહીં, આ તો ઓછા છે, લઘુમતીમાં છે. બધાની વાત નથી કરતો, હું એ પણ સ્પષ્ટતા કરી લઉ કે હજારો મુસ્લિમો દેશભક્ત છે. લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે, હજારો મુસ્લિમો ભારતીય સેનામાં છે. સૈંકડો મુસ્લિમો ગુજરાતના પોલીસ દળમાં છે, એ બધા જ દેશભક્ત છે.

દીકરીઓના છાપામા કિસ્સા આવી રહ્યા છે…આ લવ જેહાદ કાયદાનું નામ અમે નથી આપ્યું પરંતુ લોકમુખે ચડી ગયુ છે. કાયદામાં જોગવાઇ કરી આપણી ભોળીભાલી કુમળી છોકરીઓ જે ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે માતા પિતા ભણાવતા હોય છે, એ દીકરીઓ સાથે ખોટા નામે ભોળવી ફસાવી લગ્ન કરી લેતા હોય છે. બાદમાં દીકરીને ખબર પડે કે, આ તો બે વાર પરણેલો છે, બે તો ઘરે બેઠી છે. ઘરમાં ખાવાનું પણ નથી… ચાર ચોપડી ના ભણ્યો હોય તેવા લોકો નામ બદલી દુષ્કર્મ કરવાનુ કામ કરે તો કાયદા હેઠળ ડામી દેવાનું કામ કરીએ છીએ. મારાથી કહેવાય કે નહીં એ ખબર નથી, પરંતુ આજે તો જોખમ લઇ જ લેવું છે. જે લોકો રિટ દાખલ કરે છે તેમને પૂછવું છે કે, આ લોકો તમારી છોકરીને લઇ જાય તો રિટ દાખલ કરશો? કોઇ સંગઠન દ્વારા રિટ કરાઇ છે, ત્યારે મારે તેમને કહેવુ છેકે, હિન્દુ દીકરી હિન્દુને, શીખ દીકરી શીખને, મુસ્લિમ દિકરી મુસ્લિમને પરણે તેમાં તમને વાંધો શુ છે ?

જો કોઇ હિન્દુ છોકરો મુસ્લિમ નામ ધારણ કરી મુસ્લિમ છોકરીને ફસાવે તો આ કાયદો તેને પણ લાગુ પડશે, એવું નથી કે માત્ર વિધર્મી પર જ લાગુ પડે છે. પરંતુ માત્ર તે લોકો જ કેમ ચિંતા કરે છે, તેમના સંગઠનો જ શા માટે દોડી જાય છે. ઉપરથી એ સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ બોલાવવી જોઇએ અને ભાજપની સરકારને અભિનંદન આપવા જોઇએ…એમના પેટમાં શું કરવા દુ:ખે છે, મને એ સમજાતુ નથી. જવાહરલાલ નહેરુએ તો જેટલું નખ્ખોદ કઢાય એટલું કાઢી નાખ્યું હતું, આ તો આ પેઢીનું નસીબ કે આપણને આ જોડી (મોદી-શાહ) મળી.’

નીતિન પટેલે બાદમાં પોતાના વક્તવ્યને લઈને કહ્યું હતું કે આ દેશમાં મોટી સંખ્યામાં લોકો લોકશાહીના વિચારોથી સહમત છે. જ્યાં ઉદારમતના લોકો ઓછા છે ત્યાં લોકશાહી ખતમ થઇ છે. ન્યાયતંત્ર પણ નથી રહ્યું. હાલ અહીં ઉદાર વિચારસરણીવાળા લોકોની બહુમતી છે ત્યાં સુધી લોકતંત્ર રહેશે. હું એકલો નથી કહેતો, દેશ અને દુનિયાના શિક્ષિત અને વિચારકો પણ આમ કહે છે, કેટલાંક લોકો બોલતાં નથી પણ માને છે. દુનિયાની ચિંતા કરનારાં લોકોએ આ સંદર્ભે જોડાવું જોઇએ તે હેતુથી મેં આ વાત કરી છે.

નીતિન પટેલનું વિવાદાસ્પદ નિવેદન
ધર્મસભામાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમારે વીડિયો ઉતારવો હોય તો ઉતારી લો અને મારા શબ્દો લખીને રાખજો, જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિનસંપ્રદાયિકતા છે. આ વાતો કરનારા કરશે, ભગવાન ના કરે અને જો હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજા લોકો વધ્યા તો એ દિવસથી કોઈ કોર્ટ-કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં. બધું જ હવામાં અને દફનાયી દેશે. કશું બાકી નહીં રહે. આ તો ઓછા અને લઘુમતીમાં છે. હું બધાની વાત નથી કરી રહ્યો. હજારો મુસ્લિમો દેશભક્ત છે અને ભારતીય સેનામાં છે. સેંકડો મુસ્લિમો ગુજરાત પોલીસમાં છે.

લવ-જેહાદનો કાયદો તમામને લાગુ પડે છે
નાયબ મંત્રીએ જણાવ્યું હતું કે હું સ્પષ્ટ કરું કે જો કોઈ હિન્દુ છોકરો કોઈ નિર્દોષ મુસ્લિમ છોકરી સાથે છેડતી કરીને લગ્ન કરે તો આ કાયદો તેને પણ લાગુ પડે છે. તો આ કાયદો કોઈ ખાસ ધર્મ માટે નથી, તમામ લોકો પર લાગુ પડે છે. આ કાયદાને પડકારતી રિટ અરજી એક સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે હું એ સંસ્થાને પૂછવા માગુ છું કે જો હિન્દુ દીકરીઓ હિન્દુ સાથે લગ્ન કરે, મુસ્લિમ દીકરીઓ મુસ્લિમ સાથે લગ્ન કરે, ખ્રિસ્તી દીકરીઓ ખ્રિસ્તીઓ સાથે લગ્ન કરે. જો શીખ દીકરીઓ શીખ સાથે લગ્ન કરે છે તો તેમને વાંધો શું છે.

રાજ્યમાં જ્યાં પણ નવા બ્રિજ બનશે ત્યાં ભારત માતાની પધરામણી થશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યમાં જ્યાં પણ નવા બ્રિજ બનશે. મોટા હાઈવે બનશે. 4 લેન બનશે. સિક્સ લેન બનશે. એ તમામ જગ્યા પર ભારત માતાની પધરામણી કરવાની છે. આ માટે આપણે બધાએ ભેગા મળીને કામ કરવાનું રહેશે. એક મંદિર બનાવવાથી કંઈ નહીં થાય. આપણે બધા ભેગા થઈ એક અવાજે ભારત માતા કી જય બોલીએ તો જેના હાથમાં ગમે એવી AK47 હોય, પણ આપણા અવાજથી જ એ ધ્રૂજી જાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો