બદલાતી ઋતુ વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ કરો આ વસ્તુઓનુ સેવન, અનેક બીમારીઓ રહેશે દૂર

જો તમે હંમેશા બિમાર રહો છો અને ખાસ કરીને બદલાતી ઋતુને કારણે તમને શરદી-ઉધરસ જેવી બિમારી થાય છે તો તેનું એકમાત્ર કારણ છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જવી. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બિમારીઓમાંથી પસાર થવું પડે છે. એવમાં સંતૂલિત આહાર લેવાની ખૂબ જરૂર છે. આવો જોઇએ શુ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત બને છે.

પાણી
પાણી એક એવી વસ્તુ છે જે શરીરની ગંદકીને બહાર નીકાળી ફેંકે છે. શરીરમાં જામી ગયેલા અનેક પ્રકાકના ઝેરી તત્વને બહાર નીકાળે છે. જેટલુ બની શકે એટલું સાદુ કે નવશેકુ પાણી પીવું જોઇએ અને ઠંડા પાણીના સેવનથી દૂર રહેવું જોઇએ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ફણગાવેલાં કઠોળ
ફણગાવેલા અનાજ અને દાળ પોષણથી ભરપૂર હોય છે. જે રોગ-પ્રતિકારક શક્તિને યોગ્ય બનાવી રાખવામાં મદદગાર છે અને સાથે જે તેને પચાવવા માટે પણ સહેલું હોય છે.

રસદાર ફલ
રસદાર ફળ જેવા સંતરા સહિતના ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી શરીરની જંતુઓથી લડવાની ક્ષમતા વધી જાય છે. ફળ ખાતા સમયની સાથે મીઠું, ખાંડ કે ચાટ મસાલો મિક્સ કરવો વધારે યોગ્ય રહેશે.

ડ્રાયફ્રૂટ્સ
ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાની ડૉક્ટરો દ્વારા સલાહ આપવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠીને ખાવ. આમ કરવાથી શરીરને શક્તિ મળે છે.

સલાડ
દરેક સમયે સલાડનું સેવન કરવું તો યોગ્ય માનવામાં આવે છે. અલગ- અલગ પ્રકારના શાકભાજીના પ્રયોગથી તે પૂર્ણ રીતે પૌષ્ટિક બની જાય છે. તમે ગાજર, કાકડી, ટામેટું,ડુંગળી, બીટનો પણ ઉપયોગ કરી શકો છો.

તુલસી
તુલસી એન્ટિબાયોટિકનું કામ કરે છે. ચામાં તુલસીના પાન નાંખીને પીવાથી કે તેને સાદા પાણીમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો