કોંગ્રેસ વર્ષો સુધી સરકારમાં રહી ક્યારેય ખેડૂતોની ચિંતા કરી નથીઃ સી.આર.પાટીલ

ગીર સોમનાથ જીલ્લા કિસાન મોરચા દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન માટે નમો કિસાન પંચાયત કાર્યક્રમ સુત્રાપાડા ખાતે યોજાયો હતો તેમાં સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વર્ષો સુધી સરકારમાં રહી ક્યારેય ખેડૂતોની ચિંતા કરી નથી કે ખેડૂતોને ખરા અર્થમાં લાભ થાય તેવી કોઇ યોજનાઓ જાહેર કરી નથી.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, દેશના ખેડૂતો પગભર થાય, તેમની કમાણી વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા તે સમયે વિવિધ યોજનાઓ લાવ્યા જેનાથી ધીમે ધીમે ખેડૂતોની આવક વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વર્ષ 2014માં જ્યારે વડાપ્રધાનની ધુરા સંભાળવા દિલ્હી ગયા ત્યારે ગુજરાતના ખેડૂતોની કુલ આવક 15 ગણી વધારી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતના ખાતામાં સરકારની સીધી સહાય જમા થાય તેની ચિંતા કરી છે.

કાર્યક્રમમાં ત્રણ કુપોષિત બાળકોને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કીટ આપવામાં આવી હતી તેમજ સરકારની અન્ન બ્રહ્મ યોજના હેઠળ દર માસે દસ કિલો મફત અનાજ વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત 12 લાભાર્થીઓને યોજનાની કિટ વિતરણ કરવામાં આવી સાથે પ્રગતિશીલ બે ખેડુતોનું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો