પત્રકારના એક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી

સુરતમાં કોરોના કેસના આંકડામાં ફરક વિશે એક પત્રકારના સવાલના જવાબમાં CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મને ખબર નથી. ત્યારે હવે મુખ્યમંત્રીના આ જવાબને લઈ આજે ટ્વિટર પર #મને_ખબર_નથી ટ્રેન્ડિગ થઈ રહ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં પત્રકાર પરિષદ કરી હતી ત્યારે સવાલ કરાયો હતો કે સુરત મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગના આંકડામાં કેમ ફરક આવે છે. ત્યારે રૂપાણીએ કહ્યું હતુ કે મને ખબર નથી. બસ આ વાક્યને હાલ સોશિયલ મીડિયામાં ખુબ ટ્રેન્ડ મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પણ આ તકનો લાભ લઈને ટ્વીટ કરીને મુખ્યમંત્રીને 8 સવાલો કર્યા હતા. હાલ ગુજરાતમાં મને ખબર નથી તેવુ વાક્ય સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

CM રૂપાણીના એક જાહેર જવાબ પર કોંગ્રેસે 8 સવાલ કર્યા

સુરતમાં કોરોનાથી મૃત્યુ વિશેના સવાલ પર CM રૂપાણી બોલ્યા હતા #મને_ખબર_નથી. ત્યારે મુખ્યમંત્રીના જાહેર જવાબ પછી કટાક્ષમાં કોંગ્રેસ પ્રમુખે સવાલ પૂછ્યા હતા.

  1. સરકારી ભરતી ક્યારે થશે? #મને_ખબર_નથી
  2. ફી માફી? #મને_ખબર_નથી
  3. કોરોનાના આંકડામાં ગોટાળા #મને_ખબર_નથી
  4. ધમણ વેન્ટિલેટર કહેવાય? #મને_ખબર_નથી
  5. ખેડૂતોની હાલત? #મને_ખબર_નથી
  6. તૂટતા પુલ- રસ્તાઓ? #મને_ખબર_નથી
  7. મોંઘવારી? #મને_ખબર_નથી
  8. તો ભાજપ સરકારના CM ને ખબર શું છે?

ત્યારે સોશિયલ મીડિયામાં હાલ સીએમ વિજય રૂપાણીના આ જવાબને લઈ લોકો મીમ્સ બનાવી રહ્યા છે. હાલ ટ્વિટર પર મને ખબર નથી ટ્રેન્ડ થવા લાગ્યું છે. જે બાદ લોકોએ સરકારી નોકરી, વિકાસ સહિતનાં અનેક મુદ્દાઓને લઈ સવાલ પુછ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો