ચીખલીમાં એકજ પરિવારમાં એકસાથે 4 અંતિમયાત્રા નીકળી, લોકો હીબકે ચડ્યા, ઇકો પોઇન્ટમાં બોટ પલટતા 4 સભ્યોના મોત થયા હતા

નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલા સોલધરા ઇકો પોઇન્ટમાં કૃત્રિમ તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતા 5 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં અમદાવાદના સોની પરિવારના 4 સભ્યોનો પણ સમાવેશ છે. અમદાવાદનો સોની પરિવાર ચીખલી આવ્યો હતો અને સોલધરા ફરવા ગયા હતા એ સમયે આ દુઃખદ ઘટના બની હતી. આજે ચીખલીમાં મૃતક મહિલના પિયરથી ચારેય સભ્યોની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં વિસ્તારના તમામ લોકો જોડાયા હતા. એકસાથે ચાર જેટલી અર્થી ઉઠતાં સમગ્ર વિસ્તારના લોકો હીબકે ચડ્યા હતા.

​​​​​​ચીખલીના ગ્રીષ્માબેનના અમદાવાદમાં મેહુલ સોની સાથે લગ્ન થયા હતા. ઉત્તરાયણનો તહેવાર હોય ગ્રીષ્માબેન પતિ, દીકરી અને દીકરા સાથે ચીખલીના જોશી મહોલ્લામાં પોતાના પિતાના ઘરે આવી હતી. વિકેન્ડ દરમિયાન પરિવાર ચીખલીના પ્રવાસનધામ ઇકો પોઇન્ટમાં ફરવા ગયો હતો. સાંજના સમયે બોટિંગ કરવા ગયા હતા. ગ્રીષ્માબેન, મેહુલભાઈ તથા બન્ને સંતાનો બોટમાં બેઠા હતા એ જ સમયે બોટમાં ચડવા માટે ધક્કામુક્કી થઇ હતી. જેના કારણે બોટ પલટી મારી ગઇ હતી અને આ પરિવાર 25 ફૂટ ઉંડા તળાવમાં ગરકાવ થઇ ગયો હતો.

એક સાથે 4 અર્થી ઉઠતાં ભાવુક દ્રશ્યો સર્જાયા

ચીખલીના જોશી મહોલ્લામાં ઉત્સવ મનાવવા આવેલી દીકરીની પરિવાર સાથે અર્થી ઉઠતાં મહોલ્લામાં કરુણ દૃશ્યો સર્જાયા હતા. કોન કોને સંભાળે તેવી સ્થિતિ ઉભી થતાં પરિવારના સગાસંબંધીઓ અને પાડોશીઓએ પરિવારને સંભાળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. મહોલ્લામાંથી એક સાથે 4 અર્થીઓ ઉઠતાં મોહલ્લાના તમામ લોકોની આંખોમાં આસું આવી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો