ગુજરાતનું એકમાત્ર એવું આસ્થાનું કેન્દ્ર કે જ્યાં લોકોની માનતા પૂરી થતાં પાણીની બોટલો અને પાઉચ ચડાવે છે, જાણો કયાં આવેલું છે આ આસ્થાનું કેન્દ્ર?

ગુજરાતમાં આસ્થાનું એક અનોખું કેન્દ્ર મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પૂર્ણ થતાં લોકો અહીં પોતાના પરિવાર સાથે આવી પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આ આસ્થાનું કેન્દ્ર હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં માત્ર પાણી ચડવાથી લોકોનાં ધાર્યાં કામ પૂર્ણ થાય છે.

માનતા પૂરી કરવા અહીં ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવે છે
મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર પર રોડની સાઈડમાં પાણીની બોટલોનો ઢગલો જોતાં લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે આ પાણીની બોટલોનો એટલો મોટો ઢગલો, આખરે અહીં કેમ! મહેસાણાના મોઢેરાથી થોડે નજીક હાઇવે પર એક ફાર્મ હાઉસની સામે આ નાનકડું મંદિર આવેલું છે, જ્યાં પાણીની બોટલો અને પાઉચ ચડાવવામાં આવી રહ્યાં છે. દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવી જાય છે.

લોકો પોતાની બાધાઓ રાખી અહીં પાણી ચડાવવા આવે છે
8 વર્ષ પહેલાં મોઢેરા પાસે આવેલા મણિનગર ગામથી થોડે દૂર એક ફાર્મ હાઉસની સામે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં બે બાળકો પણ હતાં. અકસ્માત બાદ આ બંને બાળકો પાણી માટે બૂમો પાડી રહ્યાં હતાં. ત્યાર બાદ બંનેનાં મોત નીપજ્યાં હતાં. એ બાદ અહીં આજ દિન સુધી લોકો પોતાની બાધાઓ રાખી પાણી ચડાવવા આવે છે.

આ માટે અહીં ચડાવવામાં આવે છે પાણી
21 મે 2013ની વહેલી સવારે 9 કલાકે મોઢેરાથી આગળ આવેલા એક ફાર્મ હાઉસની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત રિક્ષા અને ગાડી વચ્ચે થયો હતો. એમાં રિક્ષામાં સવાર યુવાનો લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોમાંથી 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં બે દશ વર્ષનાં નાનાં બાળકો પણ હતાં. એ અકસ્માત સમયે તેઓ પાણી માટે તરસી રહ્યાં હતાં અને ત્યાં તેમનાં મોત નીપજ્યાં હતાં.

8 વર્ષ પહેલાં અકસ્માતના પ્રત્યક્ષદર્શી હજુ પણ ત્યાં ચોકી કરે છે
8 વર્ષ પહેલાં થયેલા અકસ્માત બાદ અહીં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ફાર્મ હાઉસમાં ચોકી કરતા દરબાર મેતુભા બચુભા સોલંકીએ જણાવ્યું હતું કે 21 મે 2013માં સવારે અકસ્માત મારી સામે જ થયો હતો, જ્યાં મેં જ રિક્ષામાંથી લોકોને બહાર નીકળ્યા હતા. ત્યાં બે દસ વર્ષનાં બાળકો અકસ્માત બાદ પાણી માટે તરસી રહ્યાં હતાં. એ બાદમાં બંનેનાં મોત થયાં હતાં. ત્યારથી લોકો અહીં બાળકોને દેવ સમજી પૂજા-અર્ચના કરે છે અને પોતાની માનતાઓ પણ રાખે છે.

માનતા પૂર્ણ થતાં અહીં પાણીની બોટલો અને પાઉચ ચડાવાય છે
અહીં છેલ્લાં 8 વર્ષથી ઈંટોની નાની ડેરી છે, જ્યાં લોકો પોતાની માનતાઓ પૂર્ણ થતાં અહીં ગાડીઓ ભરી ભરીને પાણીના પાઉચ અને બોટલો ચડાવી જાય છે. આમ, અમુક મંદિરોમાં શ્રીફળ, પેડા જેવા ભોગ ચડાવાય છે, પરંતુ અહીં માત્ર પાણીનો પ્રસાદ લેવા લોકો અહીં આવે છે.

દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે
સ્થાનિક મંદિરની દેખરેખ રાખનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, લોકો પોતાનાં ધાર્યાં કામ થયાં બાદ અહીં આવે છે. અહીં પથરી, એપેન્ડિક્સ તથા અન્ય રોગોથી પીડાતા લોકો હોસ્પિટલના ધક્કા ખાધા બાદ અહીં માનતા રાખે છે. ત્યાર બાદ તેમની માનતા સફળ થતાં દૂર દૂરથી તેઓ પાણીની બોટલો ચડાવવા અહીં પહોંચે છે.

પાણીની બોટલો તો ઠીક, પણ પાણીનાં ટેન્કરો પણ ચડાવવા લોકો આવે છે
મોઢેરા આજુબાજુના પંથકનાં ગામડાંમાં બોરના ખારા પાણી આવતાં બોર ફેલ થતો હોય છે. જ્યાં અહીં મંદિરની બાધા રાખ્યા બાદ કેટલાંય ગામોમાં મીઠું પાણી આવતાં ગામ લોકો પ્રથમ મીઠું પાણી ટેન્કરમાં ભરીને આ મંદિરે ચડાવવા આવે છે. આમ લોકો છેલ્લાં 8 વર્ષની અહીં એક આસ્થા સાથે જોડાયેલા છે.

કોરોના મહામારી દરમિયાન ઘણા લોકો મોતને ભેટ્યા છે. ત્યારે દવા સાથે દુવા પણ એટલી જ જરૂરી હોવાથી કોરોનાના કેટલાય દર્દીઓએ અહીં બાધા-માનતાઓ રાખી હતી, જેમાં કોરોનાને માત આપીને સાજા થયેલા કેટલાય લોકો અહીં આવીને પાણીની બોટલો અને પાણીના પાઉચ ચડાવી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો