આ રક્ષાબંધનમાં ભાઈને બાંધો ઘરે જ બનાવેલી વૈદિક રાખડી, જાણો બનાવવાની વિધિ અને રીત.. ..
કોરોનાકાળમાં એક પછીએક તહેવાર આવી રહ્યા છે. અને હવે આવશે ભાઈબહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. કોરોના અને લોકડાઉનમાં કેટલાક પ્રતિબંધના પગલે કદાચ આ વર્ષે દર વર્ષની જેમ આ તહેવાર ધામધૂમથી નહીં મનાવી શકીએ. આપણે દરેક વ્યક્તિએ સુરક્ષિત પણ રહેવાનું છે અને આ ભાઈ બહેનના પવિત્ર તહેવારને ઉલ્લાસભેર મનાવવાનો પણ છે. જો તમારે માર્કેટમાંથી રાખડી લાવવાનું સંભવ ન હોય તો નિરાશ થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું વૈદિક રાખડી બનાવવાનું વિધિ અને તેના માટે ઉપયોગમાં લેવામાં આવી સામગ્રી વિશે જે તમારા રસોઈઘર અને પૂજાઘરમાં ઉપલબ્ધ હશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વૈદિક રાખી બનાવવાની વિધિ
આ માટે 5 વસ્તુઓની જરૂર પડે છે. દુર્વા, ચોખા, કેસર, ચંદન, સરસવના દાણા. આ પાંચ વસ્તુઓને રેશમના કપડામાં બાંધીને સિલાઈ કરી દો. પછી તેને કલાવામાં પરોવી દો. આવી રીતે વૈદિક રાખડી બનાવી શકાય છે.
દુર્વા
જે પ્રકારે દુર્વાની એક ડાળ વાવી દેવાથી તે ઝડપીથી વધે છે. અને તે હજારોની સંખ્યામાં થઈ જાય છે. તે પ્રકારે ભાઈનો વંશ અને તેમા સદગુણોનો વિકાસ પણ તેજીથી થાય. સદાચાર, મનની પવિત્રતા ઝડપથી વધે. દુર્વા ગણેશજીના પ્રિય છે. એટલે કે જે આ રાખડી બાંધી રહ્યા છીએ તેમના જીવનમાંથી વિઘ્નો દૂર થઈ જાય છે. અને સાથે સાથે તેને ધન,વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તી થાય છે.
અક્ષત
અક્ષત એટલે કે ચોખા. અક્ષત એટલે ન ક્ષય થનારી વસ્તુ. જે પ્રકારે અક્ષતના ગુણ હોય છે. તે ગુણોની સાથે સાથે ભાઈ બહેનનો પ્રેમ પણ ક્યારેય ઓછો ન થાય. આપણી ગુરૂદેવની પ્રત્યે શ્રદ્ધા ક્યારેય ઓછી ન થાય.
કેસર
કેસરની પ્રકૃતિ તેજ હોય છે. એટલે કે તમે જેને રાખડી બાંધી રહ્યા છો. તે તેજસ્વી થાય. તેમના જીવનમાં આધ્યાત્મિક્તાનું તેજ, ભક્તિનું તેજ ક્યારેય ઓછી ન થાય. ભગવાન કૃષ્ણ, માં લક્ષ્મી અ શિવજીની કૃપા એમના પર સદા બની રહે છે.
ચંદન
ચંદનની પ્રકૃતિ તેજ હોય છે. તે સુગંધની સાથે શીતળતા આપે છે. તે જ પ્રકારે તેમના જીવનમાં શીતળતા બની રહે છે. ક્યારેય માનસિક તણાવ ન થાય. સાથે જ તેમના જીવનમાં પરોપકાર, સદાચાર, અને સંયમની સુંગધ ફેલાતી રહે છે.
સરસવના દાણા
સરસવ પ્રકૃતિમાં તીક્ષ્ણ છે. એટલેકે તમને એવો સંકેત મળે છે કે સમાજના દૂર્ગુણોને, મુશ્કેલીઓને દૂર કરવા આપણે તીક્ષ્ણ બનીએ. અને હંમેશા સત્યના માર્ગ પર ચાલીએ.
માતા કુંતીએ અભિમન્યુને બાંધી હતી આ રાખડી
મહાભારતમાં રક્ષાસૂત્ર માતા કુંતીએ તેમના પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી. જ્યા સુધી આ રાખડી અભિમન્યુના હાથમાં હતી ત્યાં સુધી તેમની રક્ષા થઈ. જેવી રાખડી અભિમન્યુના હાથમાંથી ટુટી તેવી અભિમન્યુનું મૃત્યું થયું.
આ રાખડી બાંધતા સમયે આ શ્લોક બોલો
યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ !
તેન ત્વામ રક્ષ બધ્નામિ, રક્ષે માચલ માચલ !
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

