બનાસકાંઠામાં દીકરીનું શોષણ કરનારા નરાધમ પિતાની તેના જ પુત્રએ કરી નાંખી હત્યા, દીકરીએ કહ્યું, ‘પિતા મારું શોષણ કરતો હતો, ભાભી પર પણ નજર બગાડી હતી’

બનાસકાંઠાના (Banskatha) થરા પોલીસ (Thara Police Station) મથક વિસ્તારની હદમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીંયા ખારીયામાં (Khariya village) એક પિતાની (Father) તેના જ સંતાનોએ (Murder) મિત્રની મદદથી હત્યા કરી અને નદીના પટમાં ખાડો કરી લાશ દાટી દીધી હતી. જોકે, પોલીસે જ્યારે આ મામલે મૃતકની દીકરીની (Daughter) પૂછપરછ કરી ત્યારે તેણે ચોંકાવનારી વાત કરી હતી. દીકરીએ પિતા પોતાનું શોષણ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ તેની ભાભી પર પણ દાનત ખરાબ કરી હોવાનું કહ્યું હતું. ભાઈને આ વાતની જાણ થતા દીકરાએ પિતાની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મિત્ર અને બહેનની મદદથી નદીના પટમાં ખાડો કરી અને મૃતદેહ દાટી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ચકચારી બનાવની વિગતો એવી છે કે બનાસકાંઠાના થરા પોલીસ સ્ટેશનની હદમાં કાંકરેજના ખરીયામાં પાંચ દિવસ અગાઉ સોમપુરી ગૌસ્વામી ગુમ થયા હતા. દરમિયાન આજે કાંકરેજના ખારીયા ગામની સીમમાં નદીના પટમાંથી તેમનો દટાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે થરા પોલીસ સ્ટેશન અને એલસીબી પાલનપુર તપાસ કરી રહી હતી.

ગરમિયાન આ મામલે હત્યારાને શોધવા માટે પાલુપર એલસીબી અને થરા પોલીસ જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને શોઘમાં લાગેલા હતા. દરમિયાન મૃતકની દીકીરીને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આ પૂછપરછમાં તેમણે ચોંકાવનારી વિગતો સામે આપતા પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી.

આ યુવતીએ જણાવ્યું હતું કે તેના પિતા ‘મારા પિતા મારું શારિરીક શોષણ કરતા હતા અને મારા ભાભીને પણ બદદાનતથી જોતા હતા. આ વાતની જાણ મારા ભાઈને થઈ જતા મારા ભાઈએ પિતાની હત્યા કરી. મૃતકના દીકરા મહેશપુરીને પિતાની કરતૂતોની જાણ થતા તેણે પિતાની હત્યા કરી નાખી હતી.

મહેશપુરીએ પિતાની હત્યા કરી મિત્ર વિપુલસિંહની મદદથી નદીના પટમાં ખાડો ખોદી અને બહેનની મદદથી ઈકો ગાડીમાં લઈ જઈ અને ખોદેલા ખાડામાં લાશ દાટી દીધી હતી. આ મામલે પોલીસે મૃતકની દીકરી અને મદદ કરનાર મિત્ર વિપુલસિંહ રણુભા વાઘેલાની પકડી પાડ્યા છે.

મૃતકને દાટવામાં મદદગારી કરનાર વિપુલસિંહ અને મૃતકની દીકરીને પોલીસે ઝડપી પાડ્યા છે.
જોકે, આ મામલે હત્યા કરનાર પુત્ર મહેશપુરી હજુ પણ ફરાર છે. આમ નાનકડા એવા ખારીયા ગામમાં પિતાની શરમજનક કરતૂતોએ તેને મોત અપાવ્યું છે તો એક પુત્રના હાથે પિતાની હત્યા થઈ છે. જોકે, એક દીકરીએ ક્યારે પોતાના જ બાપની હત્યા કરાયેલી લાશને દાટવામાં મદદ કરી હશે એ તો સમજવું જ રહ્યું પરંતુ સમગ્ર મામલો બૉલિવૂડની ફિલ્મી કહાણીને પણ શરમાવે તેવો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો