વડોદરામાં નાની બાળકીના કહેવાથી પિતાએ કંઇ પણ વિચાર્યા વિના સુરસાગર તળાવમાં કૂદીને તરફડીયા મારતા કબૂતરને બચાવી લીધુ

ઉત્તરાયણના દિવસે પતંગના દોરાથી ઘવાયેલુ કબૂતર વડોદરા શહેરના સુરસાગર તળાવમાં પડ્યું હતું અને તરફળીયા મારી રહ્યું હતું. ત્યારે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા કાકસાહેબના ટેકરા પર રહેતા સતિષભાઇ કહારે બચાવી લીધુ હતું. અને નવજીવન આપ્યું હતું.

કબૂતરને બચાવીને સારવાર માટે મોકલી આપ્યું

ઉત્તરાયણ પર્વમાં પતંગના માંજાથી અનેક પક્ષીઓના મૃત્યુ થાય છે અને તેનાથી અનેક ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે પતંગના દોરાથી ઘવાયેલુ કબૂતર વડોદરા શહેરના સુરસાગર તળાવમાં પડ્યું હતું. અને તેની પાંખમાં દોરી ફસાઇ ગયેલી હતું. આ સમયે કિનારે ઉભેલી એક બાળકી આ દ્રશ્યો જોઇ ગઇ હતી. અને તેને તેના પિતાને કહ્યું: ‘પપ્પા ફટાફટ જાઓ કબૂતરને બચાવો’ આ શબ્દો સાંભળતા પિતા સતિષભાઇ સુરસાગર તળાવમાં કૂદી પડ્યા હતા. અને તરફળીયા મારી રહેલા કબૂતરને પકડી લીધુ હતું. અને તેને બહાર કાઢીને સારવાર માટે જીવદયા કેન્દ્ર પર મોકલી આપ્યું હતું.

માત્ર 1.53 મિનીટમાં કબૂતરને બચાવ્યું

સમય ઓછો હોવાથી કંઇ પણ વિચાર્યા વિના સતિષભાઇ તળાવમાં કૂદી ગયા હતા. અને માત્ર 1.53 મિનીટમાં કબૂતરને બચાવ્યું હતું. અને કબૂતરને શાંત કરીને તેની પાંખમાં ભરાયેલી દોરી પોતાના મોઢેથી કાઠી નાખી હતી. અને એક મુંગા પશુને નવજીવન આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો