ભાવનગરની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી, તો રાજકોટની આ સ્કુલે ફીમાં કર્યો 20 ટકાનો ઘટાડો, મુશ્કેલ સમયમાં વાલીઓને ફીમાં આપી મોટી રાહત
સમગ્ર દુનિયા જીવલેણ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહી છે. કોરોના વાયરસ માટે જરૂરિયાતમંદ લોકો માટે ગુજરાત સહિત દેશભરના લોકો મદદ માટે સામે આવી રહ્યાં છે. લોકો રાહતફંડમાં લાખો અને કરોડો રૂપિયાની મદદ કરી રહ્યાં છે. ત્યારે હવે, રાજ્યની બે સ્કૂલો પણ આ મુશ્કેલ સમયમાં પોતાને ત્યાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની મદદ માટે આગળ આવી છે. જેમાંથી એક ભાવનગરની અને એક રાજકોટની સ્કૂલ છે. ભાવનગરના તક્ષશિલા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓની આખા વર્ષની ફી માફ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રાજકોટની સનરાઈઝ સ્કૂલે પણ પોતાની ફીમાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
ભાવનગરના બોરતળાવ પાસે આવેલા તક્ષશિલા વિદ્યાલયે પોતાના લેટર પેડ પર જણાવ્યું છે કે, ‘આજે સમગ્ર વિશ્વ અને ભારતમાં જ્યારે કોરોના વાયરસે મહામારી સર્જી છે ત્યારે અમારી શાળા શ્રી તક્ષશિલા વિદ્યાલય જે બોરતળાવ ભાવનગર વિસ્તારમાં આવેલી છે. અત્યારે બધા વાલીઓને મદદ મળી રહે તે હેતુથી શાળાના બાલમંદિર અને ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની તમામ પ્રકારની ફી માફ કરવાનો નિર્ણય જાહેર કરે છે.

’તક્ષશિલા વિદ્યાલયના ટ્રસ્ટી અશોકભાઈ પટેલે જણાવ્યું કે, ‘મારી સ્કૂલમાં બાલમંદિર અને ધોરણ 1થી 12 સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની તમામ પ્રકારની ફી માફ કરી દેવામાં આવી છે. અમારી શાળામાં 700 વિદ્યાર્થીઓ ભણે છે જેમની અંદાજે 6 લાખ રૂપિયાની ફી માફ કરવાનો સ્કૂલ મેનેજમેન્ટ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે.
તો રાજકોટની ખાનગી સ્કૂલ સનરાઈઝે પણ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. સનરાઈઝએ તેમની શાળામાં અભ્યાસ કરતા 1000 વિદ્યાર્થીઓની ફીમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. કોરોના વાયરસના કારણે ધંધા અને રોજગાર બંધ હોવાથી સ્કૂલ દ્વારા ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

