શહીદોને નમન, Bharat Ke Veer એપ પર તેમના પરિવારો માટે કરો ડોનેશન

ગુરુવારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહેદ થયા છે. ઘણા જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્થ પણ થયા છે. સમગ્ર દેશ શહીદ જવાનોને શ્રદ્ધાંજિલી આપી રહ્યો છે. તેવામાં જો તમે પણ તેમને નમન કરવા માંગો છો તો તમે તેમના પરિવારો માટે ડોનેશન કરી શકો છો. તેના માટે તમે Bharat Ke Veer એપ અથવા bharatkeveer.gov.in વેબસાઇટ પર જઇ શકો છો. તમે એક શહીદ પરિવારને 15 લાખ રૂપિયા સુધી ડોનેટ કરી શકો છો.

2017માં લોન્ચ થઇ હતી વેબસાઇટ

હોમ મિનિસ્ટ્રીએ 2017માં Bharat Ke Veer વેબસાઇટ અને એપને લોન્ચ કરી હતી તે સમયે બોલીવુડનો સુપર સ્ટાર અક્ષય કુમાર પણ હાજર રહ્યો હતો. લોંચ હેતુ હતો કે દેશની જનતા પૈસા ડોનેટ કરી જવાનોના પરિવારોની મદદ કરી શકે. તેમા તમે બે પ્રકારથી ડોનેશન કરી શકો છો- કોઇ એક શહીદ જવાનના એકાઉન્ટમાં અથવા ‘ભારત કે વીર’ ફંડમાં. આ વેબસાઇટ અથવા એપમાં ડોનેશન આપી તમે સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) સશસ્ત્ર સીમા દળ (SSB),આસામ રાયફલ્સ (AR), ઇન્ડો-તિબ્બત બોર્ડ પોલિસ (ITBP), નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG)ના શહીદોના પરિવારોની મદદ કરી શકો છો.

અહીં પૈસા ડાયરેક્ટ શહીદોના પરિવારોના બેન્ક એકાઉન્ટમાં જાય છે, 15 લાખ રૂપિયા સુધી કરી શકો છો ડોનેટ

આ રીતે કરો ડોનેશન
તમે આ એપને પોતાના ફોનમાં ડાઉનલોડ કરી શકો છો અથવા Bharat Ke Veer વેબસાઇટ દ્વારા પોતાનં યોગદાન આપી શકો છો. આ વેબસાઇટ પર કરવામાં આવતું ડોનેશન ડાયરેક્ટ શહીદ થયેલા સૈનિકોના પરિવારના બેન્ક એકાઉન્ટમાં જાય છે. વેબસાઇટ ખોલતી વખતે ધ્યાન રાખો કે તેના એડ્રેસમાં gov.in છે કે નહીં. જો યૂઆરએલમાં gov.in સિવાય અન્ય કઇ દેખાય તો તે સાઇટ પર ડોનેશન ના કરો. Bharat Ke Veer ફંડમાં ફેબ્રુઆરી સુધી 45.32 કરોડ રૂપિયા રિસીવ થયા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો