શેરડીના રસના આ ખાસ ફાયદા જાણી, રોજ 1 ગ્લાસ પીશો ઉનાળાનું અમૃત

ગરમીની શરૂઆત થાય એટલે શેરડીના રસનું પણ આગમન થઈ જાય છે. ગરમીના કારણે પરસેવારૂપે શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે વાંરવાર મન એવું કહે કે કુછ ઠંડા હો જાયે, એવી ઈચ્છા માટે મન તરસતું હોય છે અને આવી ઈચ્છા થાય એટલે મનમાં તરત શેરડીનો તાજો રસ યાદ આવે અને પીવાની ઈચ્છા થઈ જાય છે. એમાંય હવે તો ઠેર-ઠેર શેરડીના રસવાળા ઉભા જ હોય છે. ઉનાળામાં શેરડીનો રસ માત્ર તરસ છુપાવવા પૂરતો જ ફાયદાકારક નથી પરંતુ શેરડી અને તેનો રસ અનેક રીતે ગુણકારી છે. જી હાં, મોટાભાગના લોકો શેરડીના આ સ્વાસ્થ્ય લાભ વિશે નહીં જાણતા હોય, જેના વિશે આજે અમે તમને જણાવીશું. જે જાણ્યા બાદ તમે રોજ શેરડીનો રસ પીશે.

શેરડીના અઢળક અજાણ્યા ફાયદાઓ.

-ગરમીમાં બહુ જ થાકી ગયા હો અને તરત જ એનર્જી જોઈએ તો શેરડીનો રસ પી શકાય. તેમાં ચપટી મીઠું નાખીને પણ પી શકો છો. શેરડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગનીઝ અને આયર્ન જેવાં ન્યૂટ્રીશન્સ પણ સારી એવી માત્રામાં હોય છે.

-શરીરમાં બળતરાની તકલીફ હોય, મેનોપોઝ વખતે કે પિત્ત વધી જવાને કારણે અંગોમાં બળતરા થતી હોય, ઓડકાર કે ચક્કર આવતાં હોય, ગરમીની સિઝનમાં આંખોમાં બળતરા કે ઝાંખપ લાગતી હોય તો બપોરના સમયે ઠંડા પીણા તરીકે એક ગ્લાસ શેરડીનો રસ પી શકાય.

-કમળામાં શરીરે નબળાઈ આવી ગઈ હોય ત્યારે શેરડીનો રસ થોડોક-થોડોક આપવામાં આવે તો શરીર બળ જળવાઈ રહે છે. આ બાબતમાં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે અસ્વચ્છ શેરડીનો રસ પીવામાં આવે તો કમળો થઈ પણ શકે છે.

-યૂરિનમાં બળતરા થતી હોય, અટકી-અટકીને આવતો હોય અથવા તો વધુપડતું પીળાશ પડતું યૂરિન થતું હોય તો શેરડી ખાવાથી ફાયદો થાય છે.
-પિત્ત વધી જવાથી માથાનો દુખાવો થતો હોય, કપાળ હંમેશાં ગરમ જ રહેતું હોય, વાળ ખૂબ ખરતાં હોય કે અકાળે પાકા થઈ ગયા હોય તો રોજ શેરડીના ટુકડા ચૂસવા.

-વારંવાર નસકોરી ફૂટતી હોય, ગરમીથી આંખો લાલ થઈ જતી હોય, બળતરા, ગરમીને કારણે શરીરમાં થાક અને નબળાઈ આવી ગઈ હોય ત્યારે રોજ શેરડી ચૂસીને ખાવી.

-વધુપડતું માસિક આવતું હોય, ગર્ભાશયની ગરમીને કારણે વારંવાર કસુવાવડ થઈ જતી હોય તો શેરડી ખાવાથી લાભ થશે.

-ઔષધ તરીકે સૌથી શ્રેષ્ઠ ફાયદા માટે શેરડીના ટુકડા ચૂસવા જોઈએ. શેરડીમાં ભરપૂર માત્રામાં ગ્લુકોઝ ઉપરાંત ફાયબર અને પાણી હોય છે.
– શેરડીમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે તેમજ વિટામિન સી પણ મળી રહે છે. બહુ થાક લાગ્યો હોય તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો ઉત્તમ રહે છે.

-શેરડીના રસમાં કુદરતી શુગર હોય છે જે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારે છે અને આ પાણીની ઉણપને પણ પૂરી કરે છે. આના સેવન પછી તાજગી અને ઉર્જાવાન મહેસૂસ થાય છે.

-શેરડીનો રસ એક એનર્જી ડ્રીંક છે અને સાથે તેમાં રહેલું ગ્લુકોઝનું પ્રમાણ શરીરને એનર્જી પુરી પાડે છે. ગરમીના કારણે ચકકર આવતા હોય કે ડિહાઈડ્રેશનની તકલીફ જણાય તેવા લોકો શેરડીનો રસ પીવાથી ઘણી રાહત થાય છે.

-શેરડી કિડની, હૃદય, આંખ અને દિમાગને સ્વસ્થ રાખે છે. ઉનાળામાં ગરમી જે રીતે કહેર વર્તે છે એવામાં શેરડી તન-મનને ઠંડક પહોંચાડે છે.

-ગરમીમાં શેરડીનો તાજો રસ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આમાં કેલ્શિયમ ક્રોમિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા મિનરલ્સ છે. આ સિવાય આમાં આયર્ન, અને વિટામિન એ, સી,બી5, અને બી6 પ્રોટીન,એન્ટીઆક્સીડેન્ટ્સ અને ફાયબર પણ પ્રમાણમાં મળી રહે છે.

-શેરડીનો રસ પીવાથી ત્વચાને અલ્ફા હાઈડ્રોક્સી એસિડ મળે છે જે ખીલ દૂર કરવા ફાયદાકારી છે.
શેરડીના રસમાં પ્રોટીન સારી માત્રામાં છે. આમાં લીંબુ અને નારિયેળ પાણી મિકસ કરી પીવાથી કિડનીમાં સંક્રમણ, યૂરિન ઇંફેકશન અને પથરી જેવી સમસ્યાઓથી આરામ મળે છે.

-શેરડી લીવરને તેના કાર્યમાં સક્રિય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. આ ઉપરાંત શેરડી રક્તપિત્તનાશક, મૈથુનશક્તિ વધારનાર, વીર્યદોષો દુર કરનાર, વજન વધારનાર, મૂત્ર વધારનાર, શીતળ છે.

-કોઈ પણ પ્રકારના રક્તસ્રાવમાં (જો ડાયાબિટીસ ન હોય તો) શેરડી ખૂબ હીતાવહ છે. પેશાબ વધારનાર દ્રવ્યોમાં શેરડી ઉત્તમ છે.

-શેરડીનો રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પિત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગોમાં લાભ થાય છે.

-શેરડી ચુસીને કાયમ ખાવાથી વધુ મહેનત કરવાથી લાગેલો થાક દુર કરે છે.

-ચણા ખાધા પછી શેરડીનો રસ પીવાથી ઉગ્ર કમળો (કમળી) મટે શકે છે.

-શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ સારી આવે છે.

-વધુ બરફ નાખેલો શેરડીનો રસ ન પીઓ.

– શેરડીનો રસ પીવાથી ઘણી બીમારીઓ જેવી કે એનિમિયા, કમળો, હેડકી વગેરે ઠીક થઇ જાય છે, આમ્લપિતની સમસ્યામાં શેરડીનો તાજો રસ ઘણો જ ફાયદાકારક છે.

– તાવ આવ્યો હોય ત્યારે શેરડી ખાવાથી તાવ જલ્દી ઉતારી જાય છે.

– કમળો સારો કરવા રોજ બે ગલાસ શેરડીના રસમાં લીંબુ અને મીઠું મેળવી પીવું જોઈએ, એમાં પણ શેરડીને ચૂસીને ખાવાથી પણ કમળામાં રાહત મળે છે.

– એસિડીટીને કારણે થતી છાતીમાં બળતરામાં પણ શેરડીનો રસ લાભદાયક છે, અશક્તિ દુર થાય છે.

– મૂત્રાશયમાં સંક્રમણ (ઇન્ફેક્સન), યૌન રોગો અને પેટમાં સોજો વગેરેમાં શેરડીનો રસ પીવાથી ફાયદો થાય છે.

-પથરીની સમસ્યા હોય તો રોજ 1 ગ્લાસ શેરડીનો રસ પીવાથી પથરીમાં ફાયદો થશે…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો