શું તમે જાણો છો કે શિંગોડાં ગુણોની ખાણ છે, શ્વાસની બિમારી, પાઇલ્સ, સોજા કે દુખાવામાં મળશે રાહત, જાણો શિંગોડાના ફાયદા

શિયાળાની શરૂઆત થાય તેની જાણ ઠંડી પડવાથી નહીં, પરંતુ બજારમાં શિંગોડાં દેખાવાથી થતી હોય છે. કેટલાય એવા લોકો છે, જે શિયાળામાં આવતાં શિંગોડાંની રાહ જોતા હોય છે. ઠંડી શરૂ થાય અને ફ્રૂટની લારીમાં શિંગોડાં દેખાવા લાગે છે. લોકો તેને ખૂબ ઉત્સાહથી ખાય પણ છે પણ શું તમે જાણો છો કે શિંગોડાં ગુણોની ખાણ છે. તેના ઘણા ફાયદા છે. તે તમને અનેક રોગોથી બચાવે છે.

અસ્થમાના દર્દી માટે શિંગોડાં

જે લોકો શ્વસનની બીમારીથી પીડાતા હોય, જે વ્યક્તિઓને અસ્થમા હોય તેમના માટે શિંગોડાં ખૂબ ફાયદાકારક છે. નિયમિત શિંગોડાં ખાવાથી શ્વસન સમસ્યાઓથી પણ રાહત મળે છે.

પાઇલ્સમાંથી છુટકારો

શિંગોડાં પાઈલ્સ જેવી મુશ્કેલ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અસરકારક સાબિત થાય છે, કેમ કે તે ફાઇબર, કેલ્શિયમ અને વિટા‌િમનથી ભરપૂર હોય છે.

સોજા કે દુખાવામાં રાહત

શિંગોડાં ખાવાથી એડી ફાટવા જેવી તકલીફ પણ મટે છે. આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો કે સોજો આવે તો તેની પેસ્ટ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.

અઢળક કેલ્શિયમ

શિંગોડાંમાં કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે ખાવાથી હાડકાં અને દાંત મજબૂત રહે છે. તે આંખો માટે પણ ફાયદાકારક છે.

મહિલાલક્ષી સમસ્યા દૂર કરે છે

ગર્ભાવસ્થા દરમિયાન શિંગોડાં ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. તે કસુવાવડનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય શિંગોડાં ખાવાથી પણ ‌િપરિયડની સમસ્યા દૂર થઈ શકે છે.

લોહીને લગતી સમસ્યા દૂર થાય છે.

શિંગોડાંનું સેવન કરવાથી લોહીને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો