ઠંડીની ઋતુમાં લીલી મેથીની ભાજી અને તેના દાણાનું કરો સેવન, વજન પણ રહેશે કંટ્રોલમાં, જાણો મેથી ખાવાથી શું ફાયદા થાય છે

ઠંડીમાં લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી જોઈને ઘણાં લોકો મોઢું બગાડે છે. જ્યારે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. શિયાળામાં મેથી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે દૂર. જાણો, મેથી ખાવાથી શું ફાયદા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

– મેથીના શાકમાં ડુંગળી ઉમેરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. જે લોકોને બ્લડપ્રેશર હોય તેમના માટે મેથીનું શાક ગુણકારી છે. મેથીનું શાક ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

– લીલી મેથીમાં ગેલોપ્ટોમાઈનન નામનું તત્વ હોય છે જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

– મેથીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડંટ હોય છે. મેથી ખાવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર થાય છે. સવારે લીલી મેથીમાંથી બનાવેલો ઉકાળો પીવામાં આવે તો કબજિયાતમાં રાહત મળે છે.

– મેથીના બી અને લીલી મેથીનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીના દાણામાં એમિનો એસિડ રહેલું છે.

– દરરોજ મેથીના દાણા ખાવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીમાં ફાયબર હોવાથી ભૂખ ઘટાડે છે.

– મેથીનું ફેસપેક બ્લેકહેડ્સ, ખીલ અને કરચલીઓ દૂર કરે છે. મેથીના દાણાને પાણીમાં ઉકાળીને આ પાણીથી ચહેરો ધોવો. આ જ રીતે મેથીની તાજી પેસ્ચ ચહેરા પર લગાવવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો