રોજ સવારે નવશેકુ પાણી પીવાથી થશે અઢળક ફાયદા, શરદી-ઉધરસ સહિત અનેક બીમારીઓ પણ થશે દૂર

કોરોનાના કહેર વચ્ચે હાલ દુનિયારમાં લોકો પરેશાન છે ત્યારે લોકો ગરમ પાણી પીવાની સલાહ આપે છે. તે સિવાય આખા દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પાણીનો કોઈ સ્વાદ નથી હોતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેનાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. જોઈએ ગરમ કે નવશેકા પાણી પીવાથી થતા આ ફાયદાઓ વિશે….

– ગરમ પાણી પીવાથી ઉધરસ અને શરદી સંબંધી રોગ દૂર થાય છે.
– ભૂખ વધારવામાં ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે.
– એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠુ ઉમેરી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે.

– ખાલી પેટે ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી બીમારીઓ દૂર થાય છે.

– ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે.

– તાવ આવે અને તરસ લાગે ત્યારે ગરમ પાણી પીવું ફાયદાકારક છે.

– પેટમાં ગેસ થયા કરતો હોય તો ગરમ પાણી પીવાથી ગેસ બહાર નીકળી જાય છે.

– અસ્થમા, ગળામાં ખારાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.

– મહિલાઓને પીરિયડ્સ દરમિયાન જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. જેથી માસિકનો દુખાવો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

– જો તમે ત્વચાની બીમારીથી પરેશાન હોવ તો ગરમ પાણી અકસીર ઈલાજ છે. રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો ત્વચા પર ચમક આવી જશે.

– સવારે ખાલી પેટ અને રાતે જમ્યા બાદ ગરમ પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે જના કારણે કબજિયાત અને ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો