ખેડૂત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી: ભટિંડામાં 22 વર્ષના ખેડૂતે ઝેર ખાઈને આત્મહત્યા કરી, બે દિવસ પહેલા દિલ્હી સરહદેથી પરત ફર્યો હતો

ખેડૂત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. ભટિંડામાં 22 વર્ષના ખેડૂત ગુરલાભ સિંહે રવિવારે આત્મહત્યા કરી છે. તે બે દિવસ પહેલા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાંથી પરત ફર્યો હતો. 16 નવેમ્બરના રોજ સંત રામ સિંહે ખેડૂત આંદોલનના સમર્થનમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. છેલ્લા 25 દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં 20થી વધારે ખેડૂતોના મોત થયા છે.

ભટિંડાના દયાલપુરામાં રહેતા ગુરલાભ 18 ડિસેમ્બરના રોજ આંદોલનમાંથી પરત ફર્યો હતો. તે હરિયાણાના બહાદુરગઢ સાથે જોડાયેલ દિલ્હીની ટીકરી બોર્ડર પર ધરણામાં સામેલ હતો. તેણે રવિવારે ઝેરી દવાની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે તે ખેડૂત હતો અને તેના ઉપર રૂ. 6 લાખનું કરજ હતું.

સંત રામ સિંહે કોંડલી બોર્ડર પર આત્મહત્યા કરી હતી. લોકો તેમને પાનીપતની હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બાબા રામ સિંહ કરનાલના સિંઘરા ગામના રહેવાસી હતા. તેઓ સિંઘરાના જ ગુરુદ્વારા સાહિબ નાનકસરના ગ્રંથી હતા. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ હતા.સુસાઈડ નોટમાં તેઓએ કહ્યું હતું કે આ જુલ્મ સામેનો અવાજ છે.

આંદોલન દરમિયાન 20થી વધારે ખેડૂતોના મોત

કૃષિ બિલના વિરોધ ખેડૂત આંદોલનને 25 દિવસ થયા છે. ઠંડી પણ ભારે પડી રહી છે. આંદોલન દરમિયાન અલગ-અલગ કારણોસર અત્યાર સુધીમાં 20થી વધારે ખેડૂતોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો