ગુજરાતનો વધુ એક જવાન કાશ્મીરમાં થયો શહીદ, ચોટીલાના ઝીંઝુડાનો 22 વર્ષીય જવાન વનરાજ દેગામા દેશની સરહદે શહિદ

ગુજરાતનો વધુ એક જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયો છે. ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના 22 વર્ષીય વનરાજ દેગામા ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થઈ ગયા હતા. આજે સાંજે અમદાવાદ ખાતે શહીદનો પાર્થિવ દેહ લાવવામાં આવે તેવી શક્યતા છે. આવતી કાલે વતન ઝીંઝુડામાં શહીદના માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દુ:ખદ સમાચારથી ચોટીલા પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના એવા ઝીંઝુડા ગામના કોળી જ્ઞાતિના વનરાજ  દેગામા ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં વતનની રક્ષા કરતાં શહીદ થઈ ગયા હતા. વનરાજ દેગામા અઢી વર્ષ પહેલાં આર્મીમાં જોડાયા હતા. તેઓ બે મહિના પહેલાં જ ઝીંઝુડા આવ્યા હતા

એક વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન

શહીદ વનરાજ દેગામાના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. વનરાજ દેગામામાં પરિવારમાં સૌથી મોટા હતા. તેમને પરિવારમાં બે બહેનો અને એક ભાઈ છે. પિતા ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવે છે.

છ મહિના પહેલાં ચોટીલાના કુંઢડા ગામનો યુવાન શહીદ થયો હતો

છ મહિના પહેલાં ચોટીલા તાલુકાનાં કુઢડા ગામના ભાવેશ રાઠોડ શ્રીનગર ખાતે ફરજ બજાવતી વખતે શહીદ થઈ ગયા હતા. ભાવેશ રાઠોડ બાદ હવે વનરાજ દેગામા શહીદ થતાં ચોટિલા તાલુકામાં ગમગીની વ્યાપી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો