રાજસ્થાન બોર્ડર પર ફરજ બજાવતા નર્મદાના આંબલી ગામના સૈનિકનું અકસ્માતમાં મૃત્યુ થતા રાજપીપળામાં અંતિમ યાત્રા નીકળી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આંબલી ગામે રહેતો યોગેશ પુનિયા વસાવા દેશની બોર્ડર પર રાજસ્થાન ખાતે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલા તે પોતાના ગામ આંબલીમાં સામાજિક પ્રસંગમાં ભાગ લેવા રજા લઈને આવ્યો હતો. રજા પુરી કરીને પોતે ફરજ પર હાજર થવા માટે તે જતો હતો. દરમિયાન કારને રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માત થતાં તે મોતને ભેટ્યો હતા.

જેથી આર્મી કેમ્પ દ્વારા આ સૈનિકના મૃતદેહને તિરંગામાં લપેટી રાજસ્થાનથી રાજપીપળા લાવવામાં આવ્યો હતાં. આંબલી ગામ અને રાજપીપલા સહિતના આગેવાનો, આદિવાસી આગેવાનો મોટી સંખ્યામાં રાજપીપળા વિજય ચોક કાળા ઘોડા પાસે ભેગા થઇ શાહિદ યોગેશ વસાવાની અંતિમ ગૌરવ યાત્રા આખા શહેરમાં ફેરવામાં આવી અને યાત્રા સ્વરૂપે તેના ગામ આંબલી લઇ જવામાં આવી. સવારે શહિદ આર્મી જવાનને ગાર્ડઓફ ઓનર આપી સલામી આપી અંતિમ વિધિ કરી હતી. તેના માતા-પિતા, પત્ની સહિત પરિવાર ભારે કલ્પાંત કરતા હતા અને ગામના યુવાનની ચીર વિદાયથી આખું આંબલી ગામ હિબકે ચઢ્યું હતું.

આ બાબતે ગામના અંબાલાલ વસાવાએ જણાવ્યું હતું કે યોગેશ અમારા ગામનું ગૌરવ હતો. જે ગામના તમામ યુવાનોને પ્રેરણા આપી કામ ધંધાનું સૂચન કરતા કેટલાય યુવાનો આજે કામ કરવા લાગ્યા છે અને જયારે પણ રજામાં ગામમાં આવતો વડીલોને મળતો હતો. ખુબ પ્રેમાળ અને મિલનસાર સ્વાભાવનો હતો. જેની ચીર વિદાયથી આખું ગામ અને સ્નેહીજનો શોકાતુર બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો