કોરોના સામે લડવા AMCની હેલ્પલાઈન, બીમાર વ્યક્તિના એક ફોનથી ઘરે પહોંચી જશે સેફ્ટી કિટ
ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. દેશમાં ઘણી જગ્યાએ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાંથી ડરીને ભાગી જવાની ઘટનાઓ સામે આવી છે. જોકે સદનસીબે ગુજરાત હજુ સુધી કોરોનાને અટકાવવામાં સફળ રહ્યું છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોરોના વાયરસના પ્રવેશતો અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને વાયરસ પ્રત્યે જાગૃત કરવા અને જો કોરોનાના લક્ષણો હોય તો ડર્યા વિના આગળ આવે તે માટે હેલ્પ લાઈન નંબર શરૂ કર્યો છે. કોઈપણ તાવથી પીડિત વ્યક્તિ આ નંબર પર ફોન કરશે અને તરત જ AMC તેના ઘરે એક સેફ્ટી કિટ પહોંચાડી દેશે. આ સેફ્ટી કિટમાં સેનિટાઈઝર, માસ્ક અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સાવચેતી રૂપે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફેસબુક પેજ પર આ વાતની જાણકારી આપી હતી. AMCના પેજ પર લખાયું છે, સ્વૈચ્છિક રીતે જે લોકોને કોરોના વાયરસના લક્ષણો હોય તો અમને જાણ કરો. AMC માહિતી, માર્ગદર્શન અને પરામર્શની સાથે નાગરિકોને (જેમને જરૂર હોય તેવા) માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર્સ ઘરે પહોંચાડશે. આ સાથે જ બીમારીના લક્ષણો હોય તેવા લોકોને 104 નંબર પર ફોન કરવા માટે કહેવાયું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અમદાવાદ, કચ્છ અને વડોદરા સહિતના શહેરોમાં કોરોના વાયરસના તમામ શંકાસ્પદોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ગુજરાત સરકારે કોરોનાને અટકાવવા રવિવારે જાહેરાત કરતા રાજ્યના તમામ મોલ્સ, સ્કૂલ અને મલ્ટીપ્લેક્સને 29મી માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત અમદાવાદમાં જાહેરમાં થૂંકનારા લોકોને પણ 500 રૂપિયા દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

