અક્ષય કુમારે ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર હોમ માટે દાનમાં આપ્યા 1.5 કરોડ રૂપિયા
બોલિવૂડમાંથી અક્ષય કુમાર એક એવો એક્ટર છે, જે સમાજ માટે કામમાં સહેજ પણ પાછળ પડતોનથી. ‘ભારત કે વીર’ થી લઈને ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિની સારવાર કરાવવા સહિતના ચેરિટી કાર્યો અક્ષય કુમારે કર્યા છે. હવે, અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર માટે કામ કર્યું છે.
દોઢ કરોડ રૂપિયા દાનમાં આપ્યા
ફિલ્મમેકર રાઘવ લોરેન્સે ફેસબુક પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી હતી. ચેન્નઈમાં ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર કોલોની બની રહી છે. અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર કોલોની માટે 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને આ અંગેની માહિતી મળી હતી અને તેણે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને મદદ કરવાનો નિર્ણય લીધો હતો.
રાઘવ લોરેન્સે એક ઈન્ટરવ્યૂમાં હતું કે ‘કંચના’ના શૂટિંગ દરમિયાન તેઓ ટ્રાન્સજેન્ડર્સને મળ્યાં હતાં અને તેમની દર્દનાક વાતો સાંભળી હતી. તેઓ રેલવે સ્ટેશન પર અથવા તો ગમે ત્યાં સૂઈ રહે છે. તેમની દર્દભરી વાતો સાંભળીને તેમણે ચેન્નઈમાં એક જમીન ખરીદી હતી અને અહીંયા ટ્રાન્સજેન્ડર્સ માટે કંઈક કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે અક્ષય કુમાર સાથે આ અંગે ચર્ચા કરી હતી. વાતચીતમાં અક્ષયે અચાનક આ જમીન પર સોસાયટી બનાવવાની વાત કરી હતી. અક્ષયની વાત સાંભળીને તેમને નવાઈ લાગી હતી. તેઓ મોટા લોકો પાસે જઈને નાણાકીય મદદ માગવાનું વિચારી રહ્યાં હતાં. જોકે, અક્ષય કુમારે સામેથી મદદ કરવાનું કહ્યું હતું. અહીંયા હજી કામ ચાલી રહ્યું છે.
અક્ષય કુમારના આ નિર્ણયને LGBTQI સમુદાયે વધાવી લીધો છે. ગૌરી સાવંતે કહ્યું હતું કે આ એક સારો પ્રયાસ છે. બોલિવૂડ આ સમુદાયને લઈ આર્થિક સહાય કરશે તો તેમને ઘણો જ ફાયદો થશે. લોકો એનિમલ વેલફેર માટે કામ કરે છે તો ટ્રાન્સજેન્ડર માટે કેમ નહીં? તેઓ પણ માણસ છે, બસ તેમની સેક્સ્યુઅલ આઈડેન્ટિટી અલગ છે. તે પણ સેક્સ વર્કર્સના બાળકોના માટે ઘર બંધાવે છે.
હાલમાં ‘લક્ષ્મી બોમ્બ’નું શૂટિંગ પૂર્ણ થયું
હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને કિઆરાએ ઈન્સ્ટા સ્ટોરીમાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી. આ ફિલ્મ હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ ‘કંચના 2’ની હિન્દી રિમેક છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સ જ હિન્દી રિમેક ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર ટ્રાન્સજેન્ડર ભૂતના રોલમાં જોવા મળશે. જ્યારે કિઆરા અડવાણી અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ઈદના દિવસે 22 મેના રોજ રિલીઝ થવાની છે. આ જ દિવસે સલમાન ખાનની ‘રાધે’ પણ રિલીઝ થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..