અમદાવાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો! પુત્રએ માતાને માર માર્યો અને પુત્રવધૂએ વાળ પકડી ઘરની બહાર કાઢ્યા

અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પુત્ર અને તેની પત્ની સામે એક ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. સાસુએ દવા માંગતા પુત્રવધુએ દવા આપી ન હતી અને ઘર તમારું નથી કહી માર માર્યો હતો. વાળ પકડીને માર માર્યા બાદ સાસુએ તેની પુત્રવધૂ અને પોતાના જ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નવરંગપુરામાં આવેલા મ્યુનિસિપલ સરકારી ક્વાર્ટરમાં રહેતા શાંતાબહેન દેવીપૂજક લો ગાર્ડન પાસે મકાઈની લારી ઉભી રાખી વેપાર કરે છે. બે દિવસ પહેલા તેઓ ઘરે હતા ત્યારે પુત્રવધુ પાસેથી તેમને ખેંચની બીમારીની દવા માંગી હતી. પણ પુત્રવધુ એ દવા ન આપી માથાના વાળ ખેંચી માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

શાંતાબહેન ત્યાંથી પોતાની પુત્રીના ઘરે જઈને રાત રોકાયા હતાં. સવારે પોતાના ઘરે આવતા પુત્રવધુએ શાંતાબહેનને કહ્યું કે “કેમ કોઈએ રાખ્યા નહિ, અહીં શુ કામ આવ્યા છો પરત જતા રહો આ તમારું ઘર નથી”.

જોકે, શાંતાબહેને કહ્યું કે આ તેમનું ઘર જ છે. જેથી શાંતાબહેનનો પુત્ર અને પુત્રવધુ આવેશમાં આવી ગયા અને તેમને માર માર્યો હતો. આખરે કંટાળીને શાંતાબહેને નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો