આખો પરિવાર કોરોના પોઝિટિવ, પતિનું કોરોનાને કારણે મૃત્યું થયું, છતાં 58 વર્ષીય સિવિલના નર્સ કહે છે, ‘દર્દીઓની સેવા કરતી રહીશ’

‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે.? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રે કર્યા. વીડિયો કોલિંગ દ્વારા નિહાળ્યા, દુ;ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ તો નથી જ…’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પુત્ર અને પુત્રવધુ બંને મેડિકલ ક્ષેત્રમાં

‘કોરોના’ શબ્દે કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે, પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઊભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતાં ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58માં વર્ષમાં પ્રવેશી ચુક્યાં છે.પુત્ર અને પુત્રવધુ બંને મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા છે.

આ કોરોનાને જવા દો, અત્યારે સેવા કરવાનો સમય છે

ઉર્મિલાબેનના પતિ નિવૃત્ત હતા, છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબેનને કહેતા રહેતા કે, આપણે હવે પૈસાની ક્યાં જરૂર છે, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે. એક વખત તો ઉર્મિલાબેનને પણ વિચાર આવ્યો કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લઉં, પણ એવા સમયે જ ‘કોરોના’ની એન્ટ્રી થઈ. ઉર્મિલાબેને ખુબ સાહજિકતાથી પતિ સુરેશભાઈને કીધુ કે, ‘આ કોરોનાને જવા દો, અત્યારે સેવા કરવાનો સમય છે, મારું મન કહે છે કે અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવી જોઈએ’, અને ઉર્મિલાબેને નોકરી ચાલુ રાખી.

પોઝિટિવિટી ન છોડી

ઉર્મિલાબેનની તબિયત બગડતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. પોઝિટિવ આવ્યો. જ્યાં દર્દીઓની સેવા કરતાં હતાં ત્યાં જ દાખલ થવાનો વારો આવ્યો. થોડા દિવસ પછી પતિ સુરેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા, તે પણ તે જ વોર્ડમાં દાખલ થયા, પુત્ર અને પુત્રવધૂ એ બંને પણ પોઝિટિવ જણાતા હોમ ક્વોરન્ટીન થયાં. ક્રમશ: આખું પરિવાર કોરોના પોઝિટિવ થયું, પણ એમણે ‘પોઝિટિવિટી’ન છોડી.

મારી ઈચ્છા છે કે મારે આખી પતિની અંતિમવિધિ જોવી છે

એવામાં ઉર્મિલાબેનના પતિ સુરેશભાઈનું અવસાન થયું, અંતિમ સંસ્કાર કોણ કરે? આખું ઘર ‘કોરોના’ની ઝપટમાં હતું. ઉર્મિલાબેને હોસ્પિટલના એસઆઈ જૈમિનભાઈને વાત કરી કે તમે મારા પતિના અંતિમ સંસ્કાર કરો,પણ મારી ઈચ્છા છે કે મારે આખી અંતિમવિધિ જોવી છે. જૈમિનભાઈ અને અન્ય પાંચ સેવાનિષ્ઠ મિત્રોએ આખી વાત ઉપાડી લીધી અને સુરેશભાઈના અંતિમ સંસ્કાર થયા.

અણીના સમયે મેદાન છોડી દઉં એ સારું ન કહેવાય

ઉર્મિલાબેન કહે છે કે, ‘મારા પતિની બહુ ઈચ્છા હતી કે, હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લઉં, પણ મારું મન ના માન્યું. મને સતત થયા કરતું કે આખી જિંદગી દર્દીઓની સેવામાં કાઢી છે અને અણીના સમયે મેદાન છોડી દઉં એ સારું ન કહેવાય. મારા પતિની સ્વૈચ્છિક નિવૃત્તિની ઈચ્છા હું તેમના જીવતા જીવે ન પૂરી કરી શકી તેનું દુ:ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ નથી કેમ કે, મેં છેક સુધી દર્દીઓની સેવા કરી છે,અને આગામી દિવસોમાં પણ દર્દીઓની સેવા કરતી રહીશ’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો