અમદાવાદ શહેરમાં બે દિવસમાં 5 હત્યા બાદ અસામાજિક તત્વો બન્યા બેફામ, ખુલ્લામાં તલવાર અને છરી લઇ નિકળ્યા

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમા અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. વટવામાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ જમાવવા તલવાર વડે વાહનો અને ઘરમાં તોડફોડ કરી હતી.

શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સવાર પડેને હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે શહેરના વટવા વિસ્તારમાં તો કાયદાનો કોઈ ડર ન હોય તેમ પાંચ જેટલા અસામાજિક તત્વો ખુલ્લામાં તલવાર છરી અને ધોકા વડે નીકળ્યા હતા. અને આ લોકોનો ઉદ્દેશ માત્ર ને માત્ર લોકોમાં પોતાનો રોફ જમાવવાનો હતો. પોતે દાદા હોવાનો અહેસાસ કરાવવા માટે આરોપીઓએ વટવા સૈયદ વાડીમાં પાર્ક કરેલા વાહનો અને ઘરોમાં તલવાર અને ધોકા વડે તોડફોડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિસ્તારમાં જ અસામાજિક તત્વોએ તલવાર અને ધોકા વડે દુકાનો બંધ કરાવી હતી. સીસીટીવીના આધારે આરોપીઓને પોલીસએ ઓળખી કાઢ્યા છે. આ તમામ આરોપીઓ સૈયદ વાડીમાં જ રહેતા શાહરુખ, જનાબ, પરવેઝ, શાબાઝએ લોકોમા ધાક જમાવવા માટે આ પ્રકારનો આતંક મચાવ્યો હતો. જેને લઈને વટવા પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યા છે અને એક આરોપી જનાબની ધપરકડ કરી છે.

અમદાવાદ શહેરમાં ક્યાંય જાહેરમાં હત્યા થઈ રહી છે. તો ક્યાંક હત્યાના બાનાવો બની રહ્યા છે અને આ જોતા સ્પષ્ટ થાય છે કે ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો. અહિં તમને જણાવી દઇએ કે, ગત 48 કલાકમાં જ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં 5 જેટલા હત્યાના બનાવ બની ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો