અમદાવાદમાં વધુ એક કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો, કાર અને બસની વચ્ચે કચડાઈ મહિલા, ઘટના સ્થળે જ મોત

અમદાવાદમાં વધુ એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જયમાલા ચાર રસ્તા પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. મહિલા જ્યારે બસની પાછળ ઉભા હતા ત્યાં પાછળથી આવી રહેલી અન્ય કારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે. અકસ્માત બાદ કારનો ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો.

જયમાલા ચાર રસ્તા પાસે ગણપત યુનિવર્સિટીની એક બસ ઉભી હતી તે દરમિયાન એક મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા, આજ સમયે ઓલા લખેલી GJ01 FT 2220 નંબરની કાર આવી અને બસ સાથે અથડાઈ હતી. કાર બસ સાથે અથડાઈ જેના કારણે મહિલા બસ અને કારની વચ્ચે આવી ગયા અને તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું.

સ્થાનિકોએ જણાવ્યું કે, જે મહિલાનું અકસ્માતમાં મોત થયું તેઓ રોજ પ્રમાણે પોતાના ફ્લેટની સામે આવેલી દુકાનમાંથી દૂધ લેવા માટે પહોંચ્યા હતા. તેઓ દૂધ લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા આ દરમિયાન ગણપત યુનિવર્સિટીની બસ ઉભી હતી અને તેઓ તેની પાછળથી ચાલી રહ્યા હતા આ દરમિયાન પુરપાટ ઝડપે આવેલી ઓલા કારે તેમને અડફેટે લીધા અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. સ્થાનિકોએ ઘટના બાદ ડ્રાઈવરને પકડી પાડ્યો હતો જોકે, ભીડ વધારે થઈ અને તેનો લાભ લઈને તે ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ મામલે આગળની તપાસ શરુ કરી છે. આ મહિલા કોણ હતી અને અકસ્માતમાં વાંક બસનો છે કે કારનો તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો