જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવાનોના ઘટનાસ્થળે જ મોત

જામનગરમાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ચાર યુવકોના મોત નિપજ્યા છે. ચારેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જોકે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે કોઇ માહિતી સામે આવી નથી.

જામનગર નજીક નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનના પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ મેઘપર પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જોકે 108ની ટીમ સારવાર આપે તે પહેલા જ ચાર યુવકોના મોત નિપજ્યા હતા. ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર સાથે બાઇક ધડાકાભેર અથડાતા બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતક ચારેય યુવાનો નવાગામમાં રહેતા હતા. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે. એક ગામના 4 યુવાનોના મોતથી ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો