આયુર્વેદ ઉપચારથી દૂર કરો ચહેરા પર રહેલી કરચલીઓ, અસરકારક છે આ ટિપ્સ, જાણો

આયુર્વેદમાં સુંદરતાનો ખજાનો રહેલો છે. કેટલીક વખત ખીલ, કરચલીઓ, બ્લેક હેડ્સ, સ્કિન ટેન સહિતની સમસ્યા થાય છે. જેને લઇને મહિલાઓ અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી સાઇડ ઇફેક્ટ થાય છે. જેમા ક્રીમ, લોશન, સીરમ સહિતમાં ઘણા એવા કેમિકલ્સ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. જો તમે ચમકીલી ત્વચા ઇચ્છો છો તો તમે કેટલાક આયુર્વેદિક નુસખા અજમાવી શકો છો.

– દૂધ, મીઠુ અને લીંબુના રસને મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવી લો. તે બાદ તેને ચહેરા પર લગાવી લો. સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરાને ધોઇ લો. આ ઉપાય કરવાથી ત્વચાના પોર્સ ખુલી જશે અને તમને ફરક જોવા મળશે.

– ચહેરા પર ચમક લાવવા માટે તમે દ્વાક્ષનો પણ ઉપયોગ કરી શકોછો. જેના માટે દ્રાક્ષને ચહેરા પર બરાબર રગડી લો. સૌ પ્રથમ દ્રાક્ષને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ રાખી મૂકો. બાદમાં ત્વચાને બરાબર ધોઇ લો.

– કોબીજના રસને મધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલીની સમસ્યાથી છૂટકારો મળે છે અને ચહેરો ટાઇટ રહે છે.

– મધ અને મલાઇને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ થઇ જાય છે અને ચહેરો તાજગીથી ભરેલો લાગે છે. આ ઉપાય તમે શિયાળામાં અપનાવી શકો છો.

– ઘી અને ગ્લિસરીન ત્વચા માટે એક બેસ્ટ ઘરેલું ઉપાય છે. જે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તેનાથી ત્વચાને અઢળક ફાયદા થાય છે.

– તે સિવાય તમે ટામેટાનો રસ લો તેમા થોડોક લીંબુનો રસ મિક્સ કરી લો અને તેને ત્વચા પર લગાવો જેથી તમારી ત્વચા મુલાયમ થશે અને ચહેરો સુંદર લાગશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો