પત્ની પ્રેમમાં બની પાગલ: અમદાવાદમાં પત્નીએ દૂધમાં ઊંઘની દવા પીવડાવી પ્રેમીને બોલાવ્યો, પતિના મોઢે માસ્ક પહેરાવી સેલોટેપ મારી ઓશિકું દબાવી મોતને ઘાટ ઉતાર્યો

વસ્ત્રાલમાં રહેતા પાટીદાર વેપારીની તેની પત્ની અને પત્નીના પ્રેમીએ હત્યા કરીને આખો મામલો દબાવી દીધો હતો. ફિલ્મી ઘટનાથી પણ ચડિયાતી રીતે પરિણીતા અને તેના પ્રેમીએ હત્યાનો પ્લાન કર્યો અને હત્યા કરી પણ ક્રાઇમ બ્રાન્ચને સામાન્ય કડી મળતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ એટલા ક્રૂર હતા કે વેપારીની હત્યા બાદ પણ તેજ રૂમમાં આખી રાત સાથે રહ્યા હતાં. હાલ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવા બદલ ક્રાઇમ બ્રાન્ચની ખૂબ સરાહના થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

108 બોલાવી કહ્યું પતિને એટેક આવ્યો છે
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી મંગલ જ્યોત સોસાયટીમાં બિપિનચંદ્ર પટેલ (ઉ.વ.37) રહેતા હતા. તેમના લગ્ન દીપ્તિબહેન સાથે થયા હતા. લગ્ન સંસાર ખૂબ સારો ચાલી રહ્યો હતો. એવામાં એક દિવસ સવારે દીપ્તિબહેને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘરે બોલાવીને કહ્યું કે, તેના પતિની તબિયત બગડી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડશે. બિપિનને એટેક આવ્યો છે કહીને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બિપિનની અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી હતી.

યુવક અને પરિણીતાના સંબંધ શંકા ઉપજાવતાં
આ બધું પહેલા સાહજિક લાગતું હતું પણ દીપ્તિ અને સૌરભ વચ્ચેના સંબંધને લઈને લોકોને શંકા થવા લાગી હતી. કારણ કે સૌરભ દીપ્તિ કરતાં ઉંમરમાં નાનો હતો અને બિપિનના મોત બાદ બંને જાહેરમાં મળતા અને મળવાનું વધુ થઈ ગયું હતું. વેપારી બિપિનનું મોત શંકાસ્પદ છે તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળી હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એ વાય બલોચ અને તેમની ટીમે આ દિશામાં તપાસ કરતા બિપિનભાઈનું મોત કુદરતી નહીં પણ હત્યા હોવાનું સાબિત થયું છે.

ક્રાઈમ બ્રાન્ચ યુવક અને પરિણીતા વચ્ચેનું કનેક્શન શોધવા લાગી
ક્રાઇમ બ્રાન્ચને શંકા જતાં પહેલા સૌરભ સુથાર અને દીપ્તિ વચ્ચેના કનેકશન શોધવા પ્રયાસ કર્યો હતો. સૌરભનું ઘર બિપિનના ઘરની સામે જ હતું અને બંને વચ્ચે કોઈ અનૈતિક સંબંધ હોવાની કડીઓ મળવા લાગી હતી. ત્યાર બાદ પોલીસે સૌરભ જી એમ એમ નામની કંપનીમાં કામ કરતો હતો, ત્યાં તપાસ હાથ ધરી હતી. જ્યાં સૌરભ સાથે કામ કરતા જતીન પડ્યાની પોલીસે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જે દિવસે બિપિનભાઈની હત્યા થઈ ત્યારે તેને જતીન પડ્યા પાસે ઊંઘની ગોળીઓ લીધી હતી.

આ ઊંઘની ગોળી જતીનની પત્ની મહેમદાવાદ ખાતેની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ત્યાંથી મેળવીને આપી હતી. જતીનની પત્નીએ આ ગોળીઓ તેના પતિના મિત્રને ઊંઘ ન આવતી હોવાથી આપી હતી તેવું પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસને કડીઓ મળતી ગઈ હતી.

પરિણીતાએ 4 ગોળીઓ દૂધમાં ભેળવીને પતિને પીવડાવ્યું
પોલીસે સૌરભ અને દીપ્તિ પર શંકા જતાં તપાસ આગળ વધારી હતી. બનાવના દિવસે સૌરભે દીપ્તિને ઊંઘની ગોળીઓ આપી હતી. જેમાંથી 4 ગોળી દીપ્તિએ બિપિનના દૂધમાં ભેળવીને પીવડાવી દીધું હતું. બિપિન સુઈ ગયા બાદ દીપ્તિએ સૌરભને ઘરમાં બોલાવ્યો અને પહેલા બિપિનને માસ્ક પહેરાવ્યું હતું. ત્યાર બાદ તેના પર સેલોટેપ લગાડી દીધી અને મોઢા પર ઓશિકું મૂકીને ગુગળાવીને મારી નાખ્યો હતો.

હત્યા બાદ યુવક અને પરિણીતા આખી રાત એક રૂમમાં રહ્યાં
બિપિનના મોત બાદ સૌરભ અને દીપ્તિ નફ્ફટની જેમ ત્યાં જ રહ્યા અને આગળના પ્લાન પ્રમાણે દીપ્તિ અને સૌરભે હત્યાને કુદરતી મોતમાં ખપાવી દીધું હતું. ઓગસ્ટ મહિનામાં થયેલી હત્યા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને આરોપીને સળિયા પાછળ ધકેલી દીધા છે.

પરિણીતા અને યુવક ગળાડૂબ પ્રેમમાં હતા
આ સમગ્ર પ્રકરણમાં પોલીસને એ જાણવા મળ્યું કે, સૌરભ સામેના મકાનમાં રહેતો હતો. દીપ્તિ સાથે આંખ મળી ગઈ અને બંને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. આ વાતની જાણ બિપિનભાઈને થતાં તેમણે બંનેને મળતા અટકાવી દીધા હતા. જેથી આ હત્યાનો કારસો ઘડાયો હતો.

સૌરભ સુથાર અને દીપ્તિ પટેલ સામસામે રહેતા હોવાથી 2018થી પ્રેમમાં હતા. આ સંબંધની જાણ પતિ બિપીનચંદ્રને પાંચ મહિના પહેલાં થતાં તેમણે બંનેને ધમકાવ્યાં હતાં, જેના કારણે તેમનું મળવાનું બંધ થઈ ગયું હતું.આથી બંને ઘણા સમયથી રસ્તો કાઢવાનું વિચારતા હતા. સૌરભે તેની સાથે કામ કરતા જતીન પંડ્યાની પત્ની નર્સ હોવાથી તેની પાસેથી ઊંઘની ગોળી મેળવી હત્યાનું ષડ્યંત્ર ઘડ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો