રાજકોટની MA સુધી ભણેલી મહિલાએ ગાય, ગામડું અને જમીન બચાવવા ખેતી શરૂ કરી

શહેરમાં શિફ્ટ થવાની ઘેલછામાં ગામડાના લોકો જમીન વેચીને સિમેન્ટ કોંક્રીટના જંગલમાં આવીને વસી રહ્યા છે. ત્યારે રાજકોટની 48 વર્ષીય મહિલા કે જેને એમએ સુધીનો અભ્યાસ કર્યો છે એ ગાય, ગામડું અને ખેતર બચાવવા અભિયાન ચલાવી રહી છે. આ માટે તેને ખેતીકામ શીખવાનું શરૂ કર્યું છે. જમીન નહીં હોવાથી તેણે જમીન ભાડે રાખી ખેતી શરૂ કરી છે. પ્રકૃતિ સાથે પહેલેથી જ લગાવ ધરાવતાં માયાબેન સંતોકી પોતાની દીકરીને કરિયાવરમાં ગાયો ભેટમાં આપવાની ઈચ્છા ધરાવે છે.

લોકોને સાત્વિક અન્ન આપવા કામ શરૂ કર્યું

રાજકોટમાં રહેતાં માયાબેનના પિતા ખેડૂત હતા. માયાબેન પહેલેથી જ પિતાના ઘરે પશુપાલનનો વ્યવસાય કરતાં. તેમણે પોતાના અનુભવ પરથી જાણ્યું કે આજના સમયમાં અનેક રોગ ઘર કરી રહ્યા છે, બાળકો ડાયાબિટીસ તેમજ અન્ય ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે જેનું કારણ પોષકદ્રવ્યો નો અભાવ છે. આ વિચાર બાદ તેમને શુદ્ધ સાત્વિક અન્નના ઉત્પાદન કરવા ખેતીનો વિચાર આવ્યો.

તેમણે 13 વીઘા જમીનમાં ચણા, મગફળીનું વાવેતર કર્યું છે, જ્યારે 7 વીઘા જમીનમાં લીંબુનો બગીચો બનાવ્યો છે. જ્યાં ખેતીકામ શરૂ કર્યું છે ત્યાં સૌથી રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો વપરાશ બંધ કર્યો. ખેતી વિશે વધુ જાણી શકાય એ માટે તેઓ ગામડે ગામડે ફરી રહ્યા છે.

ખેતરમાં તેઓ જાતે જ બધું કામ કરવાનો આગ્રહ રાખે છે. સવારે 8થી સાંજના 6 સુધી તેઓ ખેતરમાં જ પોતાનો સમય ગાળે છે. માયાબેને નજીકના ભવિષ્યમાં ખેતી ક્ષેત્રે અવનવા પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો