પુત્રી સાથે થયેલા બળાત્કારનો બદલો લેવા પિતાએ આરોપીના પરિવારના 6 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી એક કાળજુ કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વ્યક્તિએ એક જ પરિવારના છ સભ્યોની હત્યા કરી નાંખી છે. વિશાખાપટ્ટનમના જટ્ટડા ગામે આ ઘટના બની, હત્યા કર્યા બાદ આરોપીઓ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે બંને પરિવારો વચ્ચે જૂની દુશ્મની હતી અને મૃતક પરિવારના સભ્યએ હત્યા કરનાર આરોપીની પુત્રી સાથે કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની માહિતી મળતાની સાથે જ પીડિતાના પિતાએ ગુસ્સામાં આવી ગયા અને આ ઘટના બની. બળાત્કારનો આરોપી હાલમાં ફરાર હોવાનું જણાવાયું છે, પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે અને એક વ્યક્તિએ કેવી રીતે એક પરિવારના 6 સભ્યોની હત્યા કરી છે તે બાબતે ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. માહિતી મળતાની સાથે જ લોકોનું ટોળુ સ્થળ પર એકઠું થઈ ગયું હતું. આ ભયાનક ઘટના બાદ સમગ્ર ગામમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.

પોતાને પોલીસને હવાલે કર્યા બાદ પોલીસે આરોપીને અટકાયતમાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર પણ જપ્ત કરી લીધા છે. પોલીસનું કહેવું છે કે આ વ્યક્તિએ બદલો લેવા માટે એક પરિવારના 6 લોકોની હત્યા કરી હતી. જેમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ શામેલ છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો