માતૃભૂમિની રક્ષા કરતા ગુજરાતનો વધુ એક જવાન શહીદ, બનાસકાંઠાના મેમદપુરા ગામમાં શોકનો માહોલ સર્જાયો

મા ભોમની રક્ષા કરતા ગુજરાતનો વધુ સપૂત શહીદ થયો છે. બનાસકાંઠાનો આર્મી જવાન શહીદ થયો હોવાના અહેવાલ મળ્યા છે, જેના કારણે પરિવારજનોમાં કરૂણ આક્રંદ છવાયો છે. બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામમાં હાલ શોકનો માહોલ સર્જાયો છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા વડગામના મેમદપુરનો જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ ફરજ દરમ્યાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે.

ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા બનાસકાંઠાનો જવાન શહીદ થયો છે. મેમદપુરના રાજપૂત સમાજના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા કરી રહ્યાં હતા. જે દરમિયાન બેખડ ધસી પડતા તેઓ શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ઘસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.

મેમદપુર ગામના જશવંતસિંહ જવાનજી રાઠોડ (ઉ.વ 30) નામનો યુવાન પિતાના નક્શેકદમ પર દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો અને છેલ્લા દસેક વર્ષથી આર્મીમાં ફરજ બજાવતાં હતા. જવાન જસવંતસિંહ શહીદ થતાં તેમના નશ્વર દેહને વતન ખાતે લાવવા તજવીજ હાથ ધરાઈ છે.

જવાનના શહીદ થયાના સમાચાર મળતા જ સમગ્ર ગામમાં ગમગીની પ્રસરી ગઇ છે. હાલ તેમના મૃતદેહને ટુંક સમયમાં જ માદરે વતન લાવવા માટે કવાયત હાથ ધરાઈ રહી છે. આર્મીમાં ફરજ બજાવતો બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામનો જવાને શહીદી વહોરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો