MPમાં 96 વર્ષીય વૃદ્ધ મૃત્યુ પામ્યા બાદ અચાનક જીવતો થઈ ગયો, અર્થીમાંથી ઉઠીને કહ્યું- હજી હું જીવું છું

મધ્ય પ્રદેશનાના છતરપુર જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 96 વર્ષનો વૃદ્ધ મૃત્યુ બાદ અચાનક જીવતો થઈ ગયો અને કહ્યું કે, હું હજી જીવું છું. આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પરંતુ હકીકત છે. આ ઘટના લવકુશ નગરના ચાંદલા રોડ સિંચાઈ કોલોનીમાં રહેતા એક 96 વર્ષીય મનસુખ કુશવાહા સાથે બની છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શોકનો માહોલ ખુશીમાં બદલાઈ ગયો ​​​​​​
મનસુખને મૃત સમજીને અંતિમ સંસ્કાર સમયે હિન્દુ વૈદિક વિધિ અનુસાર પરિવારજનોએ પૂજા વિધિ કરી અને અંતિમ સંસ્કારમાં સામેલ કરવા માટે સંબંધીઓને બોલાવ્યા હતા. સંબંધીઓને સમાચાર મળતા ઘરે પહોંચ્યા હતા અને મનસુખના મૃત્યુ પર પરિવારવા લોકો શોક મનાવી રહ્યા હતા પરંતુ આ દરમિયાન આ વૃદ્ધ બોલ્યો અને કહ્યું કે, હું હજી જીવું છું. ત્યારે શોકનો માહોલ ખુશીમાં બદલાઈ ગયો અને સંબંધીઓ તેમના ઘરે જતા રહ્યા. આ ઘટના મંગળવારની છે.

છેલ્લા બે વર્ષથી તબિયત ખરાબ છે
મનસુખ કુશવાહાની તબિયત છેલ્લા બે વર્ષથી ખરાબ છે. વૃદ્ધનો પગ તૂટી જવાને કારણે તે ચાલી શકતા ન હતા. નાનો પુત્ર રામ કૃપાલ કુશવાહા અને તેનો પરિવાર વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો છે. આર્થિક સ્થિતિ બરાબર ન હોવાથી જબલપુરમાં ચાલી રહેલી પગની સારવાર અત્યારે બંધ છે. પરિવારે કહ્યું કે, ક્યારેક ખોરાક તો ક્યારેક પાણીના સહારે છે.

વૃદ્ધનાં પરિવારનું કહેવું છે કે, 96 વર્ષના મનસુખ કુશવાહની થોડા સમયથી તબીયત વધારે ખરાબ હોવાને કારણે તે નબળાઈ અનુભવી રહ્યા હતા. જો કે, અત્યારે મનસુખની સાથે જે ઘટના સર્જાઈ છે તે આખા લવકુશ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો