90વર્ષના દાદાની ઇચ્છા દિકરાઓએ પુરી કરી, મૃત્યું પછી દેહદાન કર્યું

કડી તાલુકાના મેડા આદરજ ગામના ખેડૂત પટેલ નારણભાઇ હરજીવનદાસ (90)નું તાજેતરમાં અવસાન થતાં તેમની ઇચ્છા અનુસાર પુત્રોએ દેહદાન કરી પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હતી.

નારણભાઇ પટેલ તેમના પુત્રો ગોવિંદભાઇ, વાસુભાઇ અને પુત્રી ચંદ્રિકાબેનને વારંવાર કહ્યા કરતા કે બેટા હું જયારે પણ મૃત્યુ પામું ત્યારે મારા આ માનવદેહને અગ્નિદાહ ના આપતા, પરંતુ દેહદાન કરજો. ગઇ 24મીએ તેમનું મૃત્યુ થતાં પરિવારજનોએ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિદ્યાર્થીઅોના અભ્યાસ માટે તેમના પુત્રોએ દેહદાન કર્યું હતું.

આ કામમાં ગામના વડીલ ભરતભાઇ કે. પટેલ પણ સાથે રહી મદદરૂપ બન્યા હતા.પરિવારજનોના જણાવ્યા મુજબ, દાદા હંમેશા કહેતાં મારા દેહથી કોઇની જિંદગી બચે તે માટે મારો દેહ ઉપયોગમાં લેવાશે તો મારું જીવન ધન્ય બની જશે. આથી તેમની ઇચ્છા અનુસાર 24 નવેમ્બરે સોલા સિવિલ હોસ્પિટલમાં પિતાનું દેહદાન કર્યુ હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો