ગુંદાળા: એકી સાથે એક જ ગામના 9 યુવાનોની ઉઠી અર્થી, ગામ સજ્જડ બંધ

જેતપુર: ઉતરાયણના શુભ પર્વે ફરવા નિકળેલા કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો જેતપુરના મોટા ગુંદાળા ગામના પટેલ યુવાનો હતા. ભૂજથી તમામ મૃતદેહોને આજે મોટા ગુંદાળા ગામે લાવવામાં આવ્યા હતા. ત્યારે નાના એવા ગામમાં સોપો પડી ગયો હોય તેવું જાણવા મળી રહ્યું છે. ગામે સજ્જડ બંધ પાળ્યો છે. નવે નવ યુવાનોની એકી સાથે અર્થી ઉઠતા નાના એવું ગામ હિબકે ચડ્યું હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

જયેશ રાદડિયાએ આપી શ્રધ્ધાંજલિ આપી

જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મોટા ગુંદાળા ગામે પહોંચી ગયા હતા. તેમજ નવે નવ યુવાનોના પાર્થિવ દેહને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ગોઝારા અકસ્માતે એક જ ગામના 9 યુવાનોનો ભોગ લેતા આખુ ગામ સ્વયંભૂ અંતિમયાત્રામાં જોડાયું હતું.

મૃતકોની યાદી

-હાર્દિક રજનીકાંત બાંભરોલિયા
-રાજ સેંજલિયા
-જયદીપ બૂટાણી
-પ્રશાંત સાકળીયા
-પિયુષ ખોખર
-ગૌરવ કોટડીયા
-વિજય ડોબરીયા
-મયુર પટેલ
-મિલન પટેલ

 

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો