ઋષિકેશમાં 60 વર્ષથી ગુફામાં રહેતા 83 વર્ષના સાધુએ રામમંદિર માટે 1 કરોડ દાનમાં આપ્યા, બેન્કના કર્મચારીઓને પણ એક સમયે વિશ્વાસ ન હતો થયો.

અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે લોકોની આસ્થા એવી જોડાયેલી છે કે તે પોતાનું બધું જ આપી દેવા તૈયાર છે. આવું જ એક ઉદાહરણ ઋષિકેશમાં પણ જોવા મળ્યું છે. 60 વર્ષથી ગુફામાં રહીને જીવન પસાર કરનાર સંત શંકર દાસે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લોકો તેમને ફક્કડ બાબાના નામથી જાણે છે. ફક્કડ બાબા ઋષિકેશ સ્ટેટ બેંકની શાખામાં ગુરવારે પહોંચ્યા હતા અને રામ મંદિર નિર્માણ માટે એક કરોડનો ચેક બેંક કર્મચારીઓને આપ્યો હતો.

બેંકના કર્મચારીઓને એક સમયે તો વિશ્વાસ થયો ન હતો. કર્મચારીઓએ જ્યારે ખાતાની તપાસ કરી તો 83 વર્ષના સ્વામી શંકર દાસના અકાઉન્ટમાં રકમ હતી. બાબાએ પોતાના જીવનભરની કમાણીના બધા પૈસા અયોધ્યામાં બનનારા રામમંદિરના નિર્માણ માટે દાન આપી દીધા હતા. ફક્કડ બાબાએ કહ્યું હતું કે તેના જીવનનું લક્ષ્ય આજે પૂરું થઈ ગયું છે. ફક્કડ બાબા, ટાટવાળા બાબાના શિષ્યના રૂપમાં ગુફાઓમાં જીવન પસાર કરી રહ્યા છે. ટાટવાળા બાબાને મળનારા લોકો પાસેથી દાનમાં મળનારી રકમને બાબાએ રામમંદિર માટે દાન કરી દીધી છે. સ્ટેટ બેંકના કર્મચારીઓએ ઋષિકેશમાં આરએસએસના પદાધિકારીઓને તરત જાણ કરી હતી.

ઋષિકેશ ક્ષેત્રના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાહ કૃષ્ણ કુમાર સિંઘલે બેંકમાં પહોંચીને બાબા શંકર દાસને મળીને આ ચેક રામ મંદિરના ખાતામાં જમા કરાવ્યો હતો. ફક્કડ બાબા આ દાનને ગુપ્ત રાખવા માગતા હતા, પણ આરએસએસના પદાધિકારીઓ વાત કરી ત્યારે બાબાએ ચેક આપતો એક ફોટો પડાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો