હિંમતથી કોરોનાને માત આપતા સુરતીઓ: 82 વર્ષનાં દાદીએ હાર્ટ-અટેક આવ્યાના 15 જ દિવસમાં કોરોનાને હરાવ્યો, 24 વર્ષની યુવતી બાયપેપ પરથી 7 દિવસમાં સાજી થઈ

વધી રહેલા કેસની સામે સકારાત્મક અભિગમ દાખવી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જહાંગીરાબાદના 82 વર્ષનાં વૃદ્ધાને હાર્ટ-અટેક આવ્યાના 15 દિવસમાં કોરોના થયો હતો અને પોઝિટિવ વિચારોથી સાજા થઇ ગયા છે, જ્યારે 24 વર્ષની યુવતીને કોરોના થયા બાદ સાત દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા મળી છે.

મૂળ પ્રયાગરાજનાં સંધ્યા રાજપૂતનો 8મી એપ્રિલે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતાં દાખલ થયાં હતાં. ડો. કોવિડ ઓપીડીનાં ઇન્ચાર્જ ડો.પારૂલ વડગામા જણાવે છે,‘સંધ્યાબેનનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું, જેથી તેમને 15 લિટર ઓક્સિજનની જરૂરિયાત હોવાથી બાયપેપ પર રખાયાં હતાં. આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપ્યું હતું. ડી-ડાયમર લેવલ વધુ હોવાથી લોહી ગંઠાઇ ન જાય એ માટેની સારવાર શરૂ કરી હતી. ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થતાં 15મીએ રજા આપવામાં આવી હતી.

ઓક્સિજન લઈ રહેલી માતા વીડિયો-કોલ પર દીકરીને કહેતી ‘હું તો સારી થઈ જઈશ’

જહાંગીરાબાદના 82 વર્ષનાં સવિતાબેન પ્રજાપતિને 29મી માર્ચના રોજ હાર્ટ-અટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બાદમાં આરટીપીસીઆર ટેસ્ટ કરતાં કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સતત 15 દિવસની લડાઇ બાદ વૃદ્ધાએ કોરોનાને માત આપી છે, જેથી સોમવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. સારવાર દરમિયાન જ્યારે કેનેડા રહેતી દીકરી વીડિયો-કોલ કરતી ત્યારે સવિતાબેન કહેતાં હતાં કે ‘દીકરી મને કંઈ જ થવાનું નથી, હું સાજી થઈ જઈશ, મારી ચિંતા કરતી નહીં.’ સવિતાબેનના દીકરા મનોજભાઇએ કહ્યું હતું કે ‘આવી પરિસ્થિતિમાં પણ મારાં માતા સાજા થઇ શકતાં હોય તો દર્દીઓ સકારાત્મક વલણ અપનાવે તો તેઓ પણ સાજા થઇ શકે છે.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો