ગામ પર આપત્તિ રોકવા માટે 550 વર્ષથી તપ પર બેઠા છે સંત, આજે પણ વધી રહ્યા છે વાળ-નખ

આપણે રામાયણ અને મહાભારતમાં ઘણી એવી સ્ટોરી સાંભળી છે, જેમાં ઋષિ-મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે અને ભગવાન પ્રગટ થઈ જાય છે અને તેમને મોક્ષ મળી જાય છે. કંઈક આવી જ સ્ટોરી છે તિબેટથી 2 કિલોમીટર દૂર વસેલા ગામ ગીયૂની. અહીંયા એક બૌદ્ધ સાધુ લગભગ 550 વર્ષથી તપસ્યામાં લીન છે. ચોંકવાનારી વાત એ છે કે આજે પણ તેના વાળ અને નખ વધી રહ્યા છે. આ કારણે લોકો તેને મમી પણ નથી માની રહ્યા.

બે સ્ટોરી છે ઈતિહાસમાં…

પહેલી સ્ટોરી

– ગ્રામજનોનું કહેવું છે કે, બૌદ્ધ સાધુનું મમી ગામના એક સ્તૂપમાં હતું. કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ મમીની તપાસ કરાઈ. ખબર પડી છે આ સાધુ તો અંદાજે 550 વર્ષ જુનો છે અને ધ્યાનની મુદ્રામાં બેસેલો છે.

– એક્સપર્ટે જ્યારે જોયું કે, સાધુનો મૃતદેહ, કોઈ લેપ લગાવ્યા વગર જમીનમાં રહ્યા બાદ પણ ખરાબ થયો નથી.

– ત્યારે ગામના કેટલાક વડીલોએ જણાવ્યું કે, ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, 15મી સદીમાં ગામને કુદરતી આફતથી બચાવવા માટે સંત ઘોર તપસ્યામાં બેસી ગયો હતો.

– વડીલો જણાવે છે કે, ગામ પર વીંછીઓએ હુમલો કર્યો હતો. હુમલાથી બચવા માટે સંત ધ્યાન કરવા લાગ્યા. તે સમાધિ પર લાગતા જ ચમત્કાર થયો. આકાશમાં વરસાદ વગર ઈન્દ્રધનુષ દેખાયું અને ગામ વીંછીના આતંકથી મુક્ત થઈ ગયું.

બીજી સ્ટોરી

– અમુક લોકોના જણાવ્યા પ્રમાણે, આ મમી બૌદ્ધ સાધુ સાંગલા તેનજિંગની છે. તિબેટથી ભારત આવ્યા બાદ આ ગામમાં આવીને તેમણે ધ્યાન લગાવ્યું હતું અને પછી ક્યારેય ના ઉઠ્યા.

– તેના વાળ અને નખ આજે પણ વધે છે તો તેને મમી પણ ના કહી શકીએ. તે હજુ પણ ધ્યાનમાં છે અને જીવંત છે.

– ગામના લોકોએ એમ પણ જણવાયું કે, એક વાર મમીના માથા પર કંઈક વાગવાથી લોહી પણ નીકળ્યું હતું. ઈજાના નિશાન આજે પણ સ્પષ્ટ પણે દેખાય છે.

– હાલ તેને ધરોહર માનતા ગામમાં બીજીવાર સ્થાપિત કરી દીધી છે. સાધુની મમીને એક કાચના કેબિનમાં રાખવામાં આવી છે.

સાધુનો મૃતદેહ કોઈ લેપ લગાવ્યા વગર પણ ખરાબ થયો નથી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો