સાળંગપુરમાં કષ્ટભંજનદેવના મંદિરમાં હનુમાનજીની 54 ફૂટની બ્લેક ગ્રેનાઇટથી બનેલી મૂર્તિ સ્થપાશે

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. મંદિરની પાછળ 50 ફૂટની જગ્યામાં આ મૂર્તિ  સ્થપાશે. મંદિરના મહંત વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે,  8 એપ્રિલે હનુમાન જયંતી પ્રસંગે મૂર્તિનું અનાવરણ કરાશે. મૂર્તિ નિર્માણ માટે 3 મહિનાનો સમય લાગશે.

ઉપયોગમાં લેતાં પહેલાં ગ્રેનાઇટ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાશે

મૂર્તિમાં રાજસ્થાનના ભીલવાડાથી મગાવાયેલા ખાસ બ્લેક ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરાશે. રાજસ્થાનના મૂર્તિકારો તથા 60 કારીગરો મૂર્તિ તૈયાર કરશે. મૂર્તિ માટેના ગ્રેનાઇટનો પહેલાં લેબોરેટરી ટેસ્ટ કરાશે, તે માટે મંદિરમાં જ લેબ બનાવાઈ છે.

હજાર વર્ષ સુધી કોઈ નુકસાન નહિ થાય

મૂર્તિના પગના પથ્થરનું વજન જ 210 ટન હશે. આ મૂર્તિને 1 હજાર વર્ષ સુધી કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય તે રીતે તૈયાર કરાશે. શિલ્પ શાસ્ત્ર અનુસાર મૂર્તિમાં લોખંડનો ઉપયોગ કરાશે નહિ. મૂર્તિના પાયા જમીનની અંદર 4 ફૂટમાં રહેશે.

મૂર્તિની વિશેષતાઓ

  • 54 ફૂટ મૂર્તિની ઊંચાઈ
  • 500 ટન મૂર્તિનું વજન હશે
  • 24 ફૂટ મૂર્તિની પહોળાઈ
  • 210 ટન વજન પગ નીચેના પથ્થરનું હશે
  • 24 ફૂટ ગદાની ઊંચાઈ
  • 13 ફૂટ ગદાની પહોળાઈ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો