ગંગામાં પાણીનું સ્તર વધી જતાં કિનારે દફન કરવામાં આવેલી 500 લાશો બહાર આવી ગઈ, ચોમાસામાં સર્જાઈ શકે છે મુશ્કેલ સ્થિતિ

ઉત્તરપ્રદેશમાં કાનપુરથી ૭૦ કિલોમીટર દૂર આવેલા ઉન્નાવમાં ગંગા કિનારે ખાડો કરીને દાટી દેવામાં આવેલ ૫૦૦થી વધારે શબ ઉપર આવી જતાં ચકચાર મચી ગઇ છે. અહેવાલો અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે ગંગામાં પાણીનું સ્તર વધી ગયું હતું. કાંઠા પર દાટવામાં આવેલી લાશો પાણીના દબાણના કારણે બહાર આવી ગઈ હતી. લોકોને જાણ થતાં લોકો ઊમટી પડયાં હતાં અને તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ લાશોનો નિકાલ કરવાના બદલે તેના પર માટી નાખીને તેને ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો લોકો આરોપ મૂકે છે. કેટલાક અધિકારીઓએ દલીલ કરી હતી કે લાશો એટલી બધી સડી ગઈ હતી કે તેને કાઢવી શક્ય ન હતી તેથી તેના પર માટી નાખી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગની લાશો કેસરી કપડામાં વીંટાળેલી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લાશો બહાર કાઢીએ તો કાયદો અને વ્યવસ્થા જોખમાય

ઉન્નાવના ડીએમે જણાવ્યું હતું કે વિસ્તારના કેટલાક લોકો લાશને દફનાવે છે. હાલમાં તેમાં કોઈ કામગીરી થાય તેમ નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે જો અમે લાશોને બહાર કાઢીએ તો તેને કારણે કદાચ કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી પણ સર્જાઇ શકે છે.

ગંગા બે કાંઠે થતાં ફરી શબ બહાર આવશે : સ્થાનિક લોકો  

એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે ચોમાસુ માંડ એક મહિનો દૂર છે અને એક વાર ગંગામાં પાણી ભરાઇ ગયા બાદ આ લાશો કિનારે આવી જશે. જિલ્લા તંત્રે લાશોને અહીથી હટાવવી જોઈએ અને તેનો અંતિમ સંસ્કાર કરવો જોઇએ. ગરીબો પૈસાના અભાવે મૃતદેહો દફનાવી દે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો