દેશની રક્ષા કરતા શહીદ થનાર પતિની અંતિમ ઈચ્છા પૂરી કરવા આકરી મહેનત કરી પત્ની ઈન્ડિયન આર્મીમાં જોડાઈ

ભારતીય સેનામાં ફરજ બજાવનારા દીપક નૈનવાલ 10 એપ્રિલ, 2018ના રોજ કુલગામમાં આતંકી હુમલામાં શહીદ થઈ ગયા. હવે તેમની પત્ની જ્યોતિએ દેશ સેવાનો રસ્તો પસંદ કર્યો છે. ભારતીય સેનામાં જ્યોતિનું સિલેક્શન થઈ ગયું છે. તે ટૂંક સમયમાં ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં જશે. આની પહેલાં જ્યોતિના સાસરે ત્રણ પેઢીઓ સેનામાં સેવા આપી રહી છે. જ્યોતિએ સેનાની સૌથી કઠીન શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરીક્ષાઓમાંની એક SSC પાસ કરીને સાસરીની પરંપરા જાળવી રાખી છે. ટ્રેનિંગ પૂરી કર્યા પછી તે પોતાના પરિવારની પ્રથમ ઓફિસર બનશે.

દીપકને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેણે જ્યોતિને સેનામાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે જ્યોતિ પતિની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. જ્યોતિએ કહ્યું, ‘હું ઇન્ડિયન આર્મીની આભારી છું. તેમણે મને દીપકની અંતિમ ઈચ્છા પૂરી કરવા મદદ કરી. જ્યોતિના સસરાએ કહ્યું કે, મારી વહુ રોજ સવારે 3:30 વાગે ઉઠીને દોડવા જતી હતી જેથી આજુબાજુના ઘરના કોઈ તેને એથલેટિક કપડામાં ના જોઈ લે.’

જ્યોતિએ કહ્યું, ‘દીપકે મને બહાદુરી સાથે દુનિયાનો સામનો કરવાનું સાહસ આપ્યું હતું. તેને લીધે મેં ઇન્ડિયન આર્મી જોઈન કરવાનો નિર્ણય કર્યો. મને આશા છે કે, તેઓ જ્યાં પણ હશે, મારી મહેનત જોઇને ખુશ થશે.’ જ્યોતિ પહેલાં શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલની પત્ની નિકિતા, ચન્દ્રબનીના શહીદ શિશિર મલ્લની પત્ની સંગીતા અને નીંબુવાલાના શહીદ અમિત શર્માની પત્ની પ્રિયા પણ ઇન્ડિયન આર્મી જોઈન કરી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો