અમદાવાદમાં કૉલેજમાં ભણતી 22 વર્ષની વિદ્યાર્થિનીની ઘરમાંથી જ લાશ મળી આવી, પરિવારે દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો

શહેરના વાડજ વિસ્તારમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતી એક વિધાર્થિનીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. દામિની મિશ્રા નામની એક 22 વર્ષની યુવતી ઘરની પાસે આવેલા પોતાના પિતાના ગોડાઉનમાં ગઈ હતી. ત્યાંથી કલાકો સુધી પાછી ન આવતા તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ મામલે પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. માળતી માહિતી પ્રમાણે દામિની ગઇકાલ સવારે ઘરે જણાવ્યું હતું કે, હું જૂના મકાનમાં જાઉં છું. આ મકાન સામેની બાજુ આવેલું છે, તેમજ ત્યાં તેના પિતાનું ગોડાઉન પણ છે.

જે બાદમાં પરિવારજનો જમવા માટે દામિનીને બોલાવવા ગયા ત્યારે ઘરમાં તેની લાશ પડી હતી. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે દામિનીની હત્યા કરવામાં આવી છે, પરંતુ પોલીસનું કહેવું છે કે હાલ આ બનાવ આપઘાતનો હોવાનું લાગી રહ્યું છે, વધારે તપાસ બાદ સત્ય સામે આવશે.

પોલીસનું કહેવું છે કે દામિનીના પિતા સર્જીકલની વસ્તુઓ બનાવે છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે જો આ હત્યાનો બનાવ ન હોય તો દામિનીએ શા માટે આપઘાત કર્યો હશે? દામિની બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કૉલેજ ખાતે કોઈ સાથે ઝઘડો થયો હતો કે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો