કોરોનાને મ્હાત આપશે આયુર્વેદિક સારવાર, 7 દિવસની સારવારથી અમદાવાદમાં 203 દર્દીઓ થયા સ્વસ્થ

કોરોનાનાં કહેરથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદિક દવાનો સહારો લેતાં હતા. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાતીઓને એક આનંદના સમાચાર આપ્યા છે. અમદાવાદમાં આયુર્વેદિક સારવારથી 200થી પણ વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જયંતિ રવિએ આયુર્વેદિક સારવાર માટેની તમામ વિગતો પણ જણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે અમદાવાદમાં સમરસ હોસ્ટેલમાંથી 350 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અને તેમાંથી 203 દર્દીઓ એવાં હતા કે જેઓએ ફક્ત આયુર્વેદિક સારવાર લીધી હતી. કુલ 213 દર્દીઓને આયુર્વેદિક સારવાર આપવામાં આવી હતી. પણ 11 લોકો કોર્સ પૂરો ન કરતાં તેઓને વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય 203 લોકોએ સાત દિવસની સારવારમાં કોરોના સામેનો જંગ જીતી ગયા હતા.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ આયુષ સારવાર માટેની ગાઈડલાઈન નિયત કરાઈ છે. તેનો ગુજરાતે શરૂઆતથી જ અમલ કર્યો હતો. જેના પરિણામે આ મહત્વની સફળતા મળી છે. એટલે સૌ નાગરિકો કે જેઓ આયુષ સારવારમાં રસ ધરાવે છે તેઓ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ પદ્ધતિનો અમલ કરે તો ચોક્કસ આપણે સૌ નીરોગી રહીશું તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આયુર્વેદિક સારવારઃ

એ સીમ્પટોમેટીક દર્દીઓને આયુર્વેદની જે સારવાર આપવામાં આવી છે, એમાં સંશમ વટીની બે-બે ગોળી દિવસમાં બે વાર, દશમૂલ કવાથ, પથ્યાદિ કવાથ 40 એમ.એલ., ત્રિકુટ ચૂર્ણ 2 ગ્રામ, આયુષ 64 એક-એક ગોળી દિવસમાં બે વાર, યષ્ટિમધુ ધનવટી એક ગોળી દર બે કલાકે ચૂસવા માટે દિવસમાં છ ગોળી આપવામાં આવી છે. ગોળી આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો