લગ્નમાં 50 લોકોની જ મંજૂરી હોવા છતાં 250 મહેમાન બોલાવતા પરિવારને 6 લાખનો દંડ, 16 કોરોના સંક્રમિત થયા, વરરાજાના દાદાનું થયું મોત

કોરોનાના કારણે લગ્ન અને અંતિમ સંસ્કાર જેવા સામાજિક કાર્યોમાં સામેલ થનારા લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવાઈ છે. રાજ્યોએ આ માટે અલગ-અલગ નિયમો બિનાવ્યા છે. રાજસ્થાનમાં લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોના સામેલ થવાનો નિયમ છે. પરંતુ ભીલવાડામાં એક લગ્નમાં 250 લોકોને બોલાવાયા. પરિણામ એવું આવ્યું કે, 16 લોકોને કોરોના થઈ ગયો. વરરાજાના દાદાનું કોરોનાથી મોત થઈ ગયું. મામલો સામે આવ્યા બાદ સરકારે વરરાજાના પિતા પર 6.26 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. આ પૈસા કોરોના પોઝિટિવ તથા ક્વોરન્ટાઈનમાં રહેલા લોકોની સારવારમાં ખર્ચ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ મુજબ, ભીલવાડા કલેક્ટરે જણાવ્યું કે, 13મી જૂને લગ્નમાં 50 લોકોને અનુમતિ આપવામાં આવી હતી. પરંતુ 250 લોકોને બોલાવવામાં આવ્યા. 19 જૂને એક વૃદ્ધ કોરોના પોઝિટિવ મળ્યા. આ વરરાજાના દાદા હતા. 21 જૂને વરની માતા, કાકા, ફુઆ અને પિતાની ફોઈને પણ કોરોના થયો. આ બાદ 22 જૂને સાત વ્યક્તિઓ અને 24 જૂને વધુ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળ્યા. 26મી જૂને વરરાજાના દાદી અને પિતરાઈ ભાઈને પણ કોરોના થઈ ગયો. આશંકા છે કે સંક્રમિતોનો આંકડો વધી શકે છે. જાનમાં સામેલ થયેલા 127 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે વરરાજા, દુલ્હન સહિત 17 લોકો રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવ્યા છે.

સારવારનો તમામ ખર્ચ પરિવાર પાસેથી વસૂલાયો

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, લગ્નમાં નક્કી સંખ્યા કરતા વધારે લોકો બોલાવવા પર પરિવારને દંડ કરાયો છે. આ દંડ વરરાજાના પિતા પર લાગ્યો છે. આ માટે તેમને નોટિસ મોકલાઈ છે. તેમણે ત્રણ દિવસમાં પૈસા મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવવા કહેવાયું છે. આ પૈસા ક્વોરન્ટાઈન સુવિધા અને કોરોનાના દર્દીઓની સારવારમાં ખર્ચ થશે. કહેવાયું છે કે સારવારમાં આગળ જે પણ ખર્ચ આવશે તેને દંડ તરીકે વરરાજાના પરિવાર પાસેથી જ વસૂલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના સામેની લડાઈમાં ભીલવાડા મોડલની ખૂબ પ્રશંસા કરાઈ હતી. અહીં માર્ચમાં કોરોનાના ઘણા મામલા સામે આવ્યા બાદ સમગ્ર જિલ્લાને લોકડાઉન કરી દેવાયો હતો. ઘરે-ઘરે જઈને લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું. કોરોના પોઝિટિવ દર્દીઓનું સારી રીતે ટ્રેસિંગ કરાયા બાદ જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા હતા. મે મહિનામાં અહીં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. પરંતુ આ લગ્નના કારણે ફરી એકવાર કેસો વધી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો