જામકંડોરણામાં લેઉવા પટેલના સમૂહ લગ્નોત્સવમાં 156 દીકરીઓના જાજરમાન લગ્ન, વિન્ટેજ કાર અને બગીમાં વરઘોડા નીકળ્યા

જામકંડોરણામાં લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે આજે રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં લેઉવા પટેલ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની આગેવાનીમાં આ છઠ્ઠો સમૂહલગ્ન સમારોહ છે. જેમાં 156 દીકીરીઓના શાહી લગ્ન યોજાઇ રહ્યા છે. આ સમૂહ લગ્નમાં 5 હજાર સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. તમામ દીકરીઓના લગ્ન રીતિ રિવાજ મુજબ કરવામાં આવી રહ્યા છે.વિન્ટેજ કારની બગીમાં વરઘોડો નીકળ્યો હતો.

50 વીઘામાં રોશનીથી શણગારાયેલા મંડપ ઉભા કરાયા

50 વીઘાના છાત્રાલયના મેદાનમાં રોશનીથી શણગારાયેલા 156 મંડપ ઉભા કરવામાં આવ્યા છે. સમૂહ લગ્નમાં કન્યાઓને તમામ પ્રકારનો કરિયાવર સાથે પાનેતર તેમજ વરરાજાઓને શુટ, બૂટ અને ઘડિયાળ સહિતની સુવિધાઓ આયોજકો તરફથી જ આપવામાં આવી છે. આ ઉપરાંત 5 હજાર સ્વયંસેવકોએ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાના ફોટોવાળા ટી-શર્ટ તેમજ બહેનો માટે ખાસ સાડીનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

5 જેટલા ડી.જે પણ વરઘોડામાં રાખવામાં આવ્યા

શાહી સમૂહલગ્નમાં વરરાજાઓના વરઘોડા વિન્ટેજ કાર, બગી, ખુલ્લી જીપોના નીકળ્યો છે. 5 જેટલા ડી.જે પણ વરઘોડામાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમૂહ લગ્ન હોવા છતાં વર-કન્યા પક્ષને ગમે તેટલા કુટુંબીઓ, મહેમાનો લાવવાની છૂટ આપવામાં આવી છે. જાનૈયા, માંડવીયા સહિત 50 હજાર લોકોની જમવાની વ્યવસ્થા કરાઇ છે. શાહી લગ્ન સમારોહ યોજવાની સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની પરંપરાને આગળ વધાવતા જયેશભાઇ છઠ્ઠા સમૂહ લગ્ન યોજ્યા છે.

આ પ્રસંગે વિઠ્ઠલભાઈ રાદડિયા ના સામાજિક કાર્યો રજૂ કરતી ફિલ્મ નુ નિદર્શન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિઠ્ઠલભાઈ ના પિતાશ્રી શ્રી હંસરાજભાઇ રાદડીયા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાણપરીયા એ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો